________________
અમૃતવાણી શક્તિ તે વડવાનલ જેવી સુષુપ્ત દશામાં હોય જ. લોકોમાં કામ કરવાનાં ઘણાં છે, કેમકે આપણામાં સડે છે જોવાનું નથી. મિસ મેયને ગાળે દેવી સહેલી છે. તેણે લખ્યું તે બધું દુશમનભાવે લખ્યું છે એ ખરું, પણ તેણે જે કંઈ લખ્યું છે તેમાં કશું રહસ્ય નથી એમ કોઈ કહે તો હું તે કબૂલ નહિ કરું. તેણે મુકેલા કેટલાક પુરાવા તો સાચા છે, જોકે તે પરથી તેણે ખેંચેલાં અનુમાન ખોટાં છે. આપણુમાં બાળવિવાહ છે, આપણામાં જે વૃદ્ધવિવાહ છે, વિધવાઓ તરફ જે અમાનુષી વર્તાવ છે તે બધાનું આપણે શું કરશું?
ઠીક થયું કે બારડોલી તાલુકાની લડત દરમ્યાન હિંદુ, મુસલમાન, પારસી બધા સાથે રહી શક્યા. પણ તે પરથી એમ કંઈ માની શકાય કે બધા સંપૂર્ણ અને કાયમને સારુ એકદિલ થઈ ગયા છે? એકતા થઈ તેમાં સરદારની કુનેહ ઉપરાંત તેમની સાથે અબ્બાસ સાહેબ અને ઈમામસાહેબ, જેવા બેઠા હતા એ કારણું છે. પણ હિંદુસ્તાનમાં બીજે ગમે તેટલા કેમી. ઝગડા ફાટી નીકળે તોયે અહીં તેના છાંટા ઉડે જ નહિ એવી સ્થિતિ હજુ. ન જ માની લેવાય. આ બધી બાબતોના નિકાલ કર્યા વિના સ્વરાજ આવવાનું નથી. વિલાયતથી બે ચોપડીઓ કાયદાની લખાઈ આવે તેનાથી સ્વરાજ્ય સ્થપાવાનું નથી. તેનાથી ખેડૂતો પર શો પ્રભાવ પડે ? પ્રજાને શો લાભ પહોચે? આ બધું ચલાવતાં આવડે ને આ બધી મુશ્કેલીઓના ઉકેલ કરતાં આવડે એનું જ નામ સ્વરાજ.
- સ્વયંસેવકની નીતિ તે અહીં જે સ્વયંસેવકે રહ્યા છે તેઓ પ્રજાને પૈસે કૃપણ થઈ વાપરે કે બહેળે હાથે? પિતા પ્રત્યે ઉદાર રહેવું તે તો મોટું દૂષણ છે. ઉદાર, બીજા પ્રત્યે થવાય. પોતા પ્રત્યે કૃપણું અને બીજા પ્રત્યે ઉદાર રહેતાં આવડે. ત્યારે જ પિતા અને બીજા વચ્ચેના સંબંધને મેળ રહે. હું માનું છું કે. તમે જે ખર્ચ કર્યું છે તે ઉડાઉ નહોતું, છતાં તે પૂરી કૃપણુતાથી વપરાયું. છે એમ આપણે સિદ્ધ કરી શકશે તો હું ઘણે ખુશી થઈશ. દેશના બીજા ભાગોમાં આ પ્રસંગે જે રીતે સ્વયંસેવકે વતે છે તેના કરતાં તમે ચડી, ગયા છો એમ જઈશ ત્યારે રાજી થઈશ. - - આપણા જીવનનું ધોરણ કેવું હોય? - આપણો દેશ એક તે જગતમાં સૌથી કંગાળ. વળી આપણી સરકાર એવી કે અમેરિકાને બાદ કરીએ તો દુનિયામાં સૌથી ઉડાઉ છે. આપણે અહીંની ઇસ્પિતાલે જોઈએ તો તેમાં ઇગ્લેંડને ધોરણે ખર્ચ થાય છે.. કૅટલંડની ઇસ્પિતાલો પણ આપણે જેટલો ખર્ચ ન કરે. કર્નલ મેડકે
૨૮૩