________________
-આરડેલી સત્યાગ્રહને ઈતિહાસ -આપણામાં ક્યાંક પણ અભિમાન છુપાયેલું હોય તો તે કાઢવા મેં આટલી પ્રસ્તાવના કરી લીધી.
હું તે દૂર રહ્યો રહ્યો તમારે જ્ય ઇચ્છતા હતા, પણ તમારી વચ્ચે આવીને કામ કરનારે નથી એ વાત સાચી છે. જોકે હું વલ્લભભાઈના ખીસામાં હતો અને જે ક્ષણે ધારત તે ક્ષણે મને તે બોલાવી શકતા હતા, પણ આ તમારા જયને યશ હું ન જ લઈ શકે. આ જય તમારે અને • તમારા સરદારને જ છે, અને તેમાં ગવર્નરને ભાગ છે અને તેમને ભાગ
હોય તે તેમના અમલદારવર્ગને, ધારાસભાના સભ્યોને પણ ભાગ તેમાં હોય * જ. જે કેઈએ શુદ્ધ હૃદયથી સમાધાનીની ઇચ્છા કરી તે સૌને આ જયમાં - ભાગ સ્વીકારવો જોઈએ. આ જય માટે ઈશ્વરનો આપણે પાડ માનીએ જ. પણ ઈશ્વર તે અલિપ્ત રહી માટીનાં પૂતળાંને નિમિત્ત બનાવી કાર્યો કરાવે
છે. એટલે બાકીનાને જેમને જેમને ઘટે છે તે સને આ યશ આપણે વાંટી * દઈએ. પછી આપણું પિતાના ભાગે ઓછું જ રહેવા પામશે અને ઓછું રહે તે જે ઠીક. '
- આ તો હજી તમારી પ્રતિજ્ઞાના પૂર્વાર્ધનું પાલન થયું છે. તેને ઉત્તરાર્ધ હજી અમલમાં મૂકવાનો બાકી છે. સરકાર પાસેથી લેવાનું હતું તે તે આવ્યું, અને તેણે પિતાને ભાગ આવે, તો હવે તમારે જૂનું - મહેસૂલ તરત આપી દેવું જોઈએ. એટલે હવે તે તરત આપી દેજે. વળી હવે જેમણે આપણો વિરોધ કર્યો હોય તેમની હવે મિત્રતા કરી લેજો. જૂના અમલદારે જે હજુ આ તાલુકામાં રહ્યા હોય તેમની સાથે પણ મિત્રતા • કરી લેજે. નહિ તે તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી કહેવાશે. આપણી
પ્રતિજ્ઞાના પહેલા ભાગ માટે સરકાર પાસે જવાનું હતું, આ ઉત્તરાર્ધ - આપણે પોતે જ સિદ્ધ કરવાને છે. હૃદયમાં કેઈને માટે ગાળ ન રહે, કોઈને માટે ક્રોધ ન રહે, એમ કરવું એ આપણી પ્રતિજ્ઞા પાળવાને રહેલો ભાગ છે. - હવે તેથીયે આગળ ચાલીએ.- આ પ્રતિજ્ઞા એ તે આપણી નવી અને નાની સખી પ્રતિજ્ઞા છે, તે તે સમુદ્રમાંનું બિંદુ છે. ૧૯૨૨માં જે પ્રતિજ્ઞા આ તાલુકામાં લેવાઈ હતી તે ભીષણ પ્રતિજ્ઞા હતી. એ ભીષ્મ પ્રતિજ્ઞા હજુ બાકી છે. તેના પાલનને માટે તમે આ તે તાલીમ લીધી છે હવે એ મહાપ્રતિજ્ઞાનું પાલન પણ કરે એ હું તમારી અને ઈશ્વરની પાસે માગું છું.
જે સરદારની આગેવાની નીચે રહી તમે આ પ્રતિજ્ઞાનું આવું સુંદર પાલન કર્યું એ જ સરદારની નીચે એ પણ કરે. આ સ્વાર્થ ત્યાગી
૨૮૬