________________
રળિયામણુ ધડી જો કેવું સારું કે જેથી લડતને વધારે રસ લૂંટવાને મળે એ સત્યાગ્રહની - વૃત્તિ નથી, અસત્યાગ્રહની વૃત્તિ છે. સરદારને સરકારે ન બેલાવ્યા તેથી શું? સરદારને તો મમમમનું કામ હોય, ટપટપનું કામ ન હોય. એટલે તમે જે આગળ વધીને કહે કે અમારા સરદારને બોલાવે જ સલાહ કરીએ તો તમે દેષમાં પડે. તમારા કે તમારા સરદારના સાચા માનની હાનિ હોય એવું કશું બન્યું નથી. શરતનું પાલન કરાવનાર ઈશ્વર હતો. અનેક ઉદ્ધત ભાષણે કર્યા પછી સરકારને આપણું શરતોનું પાલન કરવું પડયું. કમિશનરે પેલો ઉદ્ધત કાગળ બહાર પડવા દીધો ત્યારે જ મેં કહેલું કે હવે - છત ચોકસ છે. જેમજેમ સરકાર દેષ કરતી ગઈ તેમ તેમ આપણી
જીત પાસે આવતી ગઈ. સરકારને વહેલું આપવું પડયું એમાં - આપણું માનની લેશમાત્ર હાનિ નથી થઈ. આપણે જે ભીનું સંકેલ્યું હેત તે માનહાનિ થાત ખરી. મારા અનુભવમાં સત્યાગ્રહની અનેક લડાઈએ થઈ ગઈ છે, પણ તેમાંની એકેમાં આના કરતાં વધારે સાચી, * વધારે શુદ્ધ જીત બીજે ક્યાંયે નથી મળી એમ સત્યાગ્રહના શાસ્ત્રી તરીકે હું મારે પુરાવો આપું છું.”
વલ્લભભાઈની મૂંઝવણ એથીયે વધારે હતી. ગાંધીજીની સમક્ષ માનપત્રો લેવાં એ જ તેમને ભારે વસમું લાગતું હતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું – માનપત્ર આપવાને સમય જ હજી નથી આવ્યું, એ તે ૧૯૨૨ ની પ્રતિજ્ઞાનું પાલન થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું:
“અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં ટાછવાયા અજ્ઞાત ઘણાયે પડયા છે; તેમના ભાગ્યમાં જાહેરાત નથી, જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તે નાને મેઢે મેટી વાત કરવા જેવું છેકોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કેઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યાતૂટયો સંદેશે તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જે તમારામાં પ્રાણ આવ્યા તે જે હું પૂરે પાળનારે હેત તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હેત.”
૨૭૫