________________
૩૩.
તાજા કલમ જ્યાં સુધી પિતાની ભૂલ કબૂલ કરતાં સરકાર શરમાય છે ત્યાં સુધી આપણે સમજી શકીએ છીએ કે એના ઉદ્ધારને હજી દિવસ આવ્યા
નથી.” ,
છે. ત્યાં પ્રકરણે વાંચનારને કહેવાની જરૂર નથી કે બારડોલીની
સમાધાની સરકારે રાજીખુશીથી નહોતી કરી. સરકાર નમી તે લોકોની માગણી ન્યાય છે એમ સમજીને નહિ, પણ તેને લાગ્યું કે હવે ત્રાસનીતિ ઝાઝી ચાલી શકે એમ નથી તેથી.* ૧૯૨૮ના ઓગસ્ટ મહિનાના મધ્યમાં “યંગ ઇન્ડિયા'માં લખતાં ગાંધીજીને નોંધવું પડયું હતું કે સિવિલ સર્વિસમાં હૃદયપલટો થયો નથી. તેમણે લખ્યું હતું - “એમ સાંભળીએ છીએ અને જોવામાં પણ આવે છે કે સિવિલ સર્વિસને સમાધાનીથી સંતોષ થયો નથી. જે તેને સંતોષ થયો હોત તો સરદાર અને તેમનાં કાર્યો વિષે જે જૂઠાણુને ધેધ ચાલી રહ્યો છે તે બંધ થયો હેત.”
અરે, બંધ થવાને બદલે એ વળે, કારણ છેક બે માસ પછી જૂઠાણાંમાં જ પિતાનું જોર માનનાર સરકારના એ મુખપત્ર “બારડોલીની આફત” નામને પિતાના ખબરપત્રીને એક પત્ર બહાર પાડ હતું જેમાં તેણે લખ્યું હતું કે શ્રી. વલ્લભભાઈએ
* સને ૧૯૨૯માં નવા ગવર્નરે બારડેલી વિષે બોલતાં જે ઉદ્ગારે કાઢયા અને રેવન્યુ મેબર મિ. રૂએ જે ભાષણ કર્યું તે સરકારની નફટાઈ બતાવવાને માટે પૂરતાં હતાં. આ પ્રકરણ ૧૯૨૮માં લખાયું હતું.
૨૬૩