________________
૨૫મું
બારડેલીની વીરાંગનાઓ:
પિતાજીને કહ્યું છે કે તમે ખુશીથી જેલ જજો. અમે તે બહેનેા ખેતી કરશું.'
લડતના છેક આખરના દિવસેામાં એક બહેનની બહાદુરી આફરીન પાકરાવે એવી જોવામાં આવી હતી. ભાઈ ભવાન હીરા નામના નાનીદને ગરીબ ગાવડી જેવા ખેડૂત. તેના ઉપર જપ્તીદારને અટકાવવા ભારણ અંધ કરવાના અને તેને ઈજા પહાંચાડવાને આરેાપ હતા. એની સ્ત્રી જાણતી હતી કે પેાતાના પતિ ભલે! માણસ છે અને જેલમાં જતાં ડરી જાય એવા છે. એમ માનીને તેના ઉપર આરેાપ મૂકવામાં આવ્યેા હતેા, કારણ જો ગુનેા કાઈ એ કર્યો હોય તે તેણે પાતે ગુના કર્યો હતેા. ખારણાં પાતે ઢાંક્યાં હતાં એમ તેણે પાકારી પાકારીને પોલીસને કહ્યું, અને જ્યારે તેને ન પકડવામાં આવી ત્યારે તે ધણીને લઈને તેની સાથે અદાલતમાં ગઈ. ભાઈ ભવાન હીરાને છ માસની સખત કેદની સા સભળાવવામાં આવી. ભાઈ ભવાનને સેકા માણસાએ વિદાય દીધી, પણ તેની વીરાંગનાની વિદાય તે લેાકેાની સ્મૃતિમાં ઘણા કાળને માટે કાયમ રહેશેઃ
- જોજો હો, ઢીલેા ખેાલ ન નીકળે. મૅજિસ્ટ્રેટને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દેજે. મારી સામું કે છેાકરાં સામે જોવાનું ન હોય. હિંમત રાખો, ને ખખડાવીને જવાબ દેજો. હું કરું? મારા ઉપર કેસ: નહિ માંડચો, નહિ તેા બતાવી દેતે. મણ દળવા આપે તે દેઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તે તિયાર જ છે. પણ જરા ઠંડા સભાવના એટલે ખેલતાં ની આવડે. આવે વખતે તે એવા જવાબ દેવા જોયે કે હરકારમાં હોય તેટલા બધાંને યાદ રહી જાય. ’’
ભાઈ ભવાનને વળાવવા આવી તે દિવસે એ બહેનના શ્રી. વલ્લભભાઈ આગળ ઉચ્ચારેલા ઉદ્ગાર મે અક્ષરેઅક્ષર આપ્યા છે. હું તે વેળા હાજર હતા. ભવાન જેલમાં ગયા પછી આનંદથી ઊભરાતી આ ખાઈ સરદાર પાસે આવી, પેાતાનાં સગાંવહાલાં તરથી ભવાનને ૯ રૂપિયા ભેટના મળ્યા હતા તે તેણે સરદારને ચરણે ધર્યાં અને પેાતાને ધનભાગ્ય માનવા લાગી.. આવી સ્ત્રીને પતિ ગમે તેટલેા મેાળેા હોય તેણે આટલા
૨૦૫