________________
-આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતથી એ જરાયે અસંગત નથી. સર તેજબહાદુર સપુએ કહ્યું: “સરકારની પ્રતિષ્ઠા ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહિ પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપ થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”
વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાપ્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકે આપ્યો હતે.
આખા દેશનાં હિંદી વર્તમાનમત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. એંગ્લો-ઇડિયન પત્રોમાં મુંબઈને અર્ધસરકારી પત્રના અપવાદ સિવાય બહારનાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા ઐન હતાં. પરંતુ નોકરશાહીનો હમેશાં પક્ષ કરવાની એંગ્લો-ઇડિયન પત્રોની બેદી પ્રથા આ વખતે અલ્લાહાબાદના - “પાયોનિયરે' અને કલકત્તાના “સ્ટેટ્સમેન” પત્રે તોડી અને બારડોલી સત્યાગ્રહને બંનેએ ટેકે આપો. પાયોનિયરે' લખ્યું: “મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ અને તે વિનાવિલંબે કબૂલ કરવો જોઈએ કે બારડોલીની લડતને કઈ પણ નિષ્પક્ષ અને જેની પાસે સ્પષ્ટ હકીકતે આવી ગઈ હોય તે નિરીક્ષક એ નિર્ણ ઉપર આવ્યા વિના રહી શકે એમ છે જ નહિ કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે, અને નિષ્પક્ષ ન્યાય સમિતિ આગળ વધારેલા મહેસૂલની તપાસ કરાવવાની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”