________________
૩૧ મું
સત્યાગ્રહને જયજયકારવલ્લભભાઈ ત્યારે તું સર ચુનીલાલને સાફ સાફ કહેશે કે, એ લોકો સત્યને ત્યાગ કરે છે?” ' કહ્યું: “હા.” - વલ્લભભાઈ: “પણ જો તું જાણે! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કુંડાળાં શા સાર કરતા હશે? બાપુ શું કહેશે? સ્વામી, તું શું ધારે છે?
સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનકડા સાથીઓને પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને “આપણે જે . કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે” એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથીયે અધિક પૂજ્ય બન્યા. લડત દરમ્યાન ઘણીવાર તેઓ કહેતા,
આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભેળે ખેડૂત ન શોભે; એમની કળા મને ન આવડે,’ એ શબ્દ મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું: “બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તે જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.”
સ્વામી કહેઃ “મારે પણ એ જ મત છે.”
છેવટે વલ્લભભાઈ કહેઃ “પણ સૂરતના સભ્યો આના ઉપર . સહી કરશે?”
કહ્યું: “કરશે; સર ચુનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.”
શ્રી. વલ્લભભાઈ કહેઃ “ભલે ત્યારે; એ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચુનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યને ત્યાગ થાય છે.’
હું ગયે, સર ચુનીલાલની સાથે વાત કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, “તમે તમારી સ્થિતિની ચોખવટ કરે એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.” એટલામાં
શ્રી. વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફેડ પાડીને કહી અને જણાવ્યું: “સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તે તમે જાણે.”
૨૫૩