________________
૩૦ સુ
જેને રામ રાખે
એક મિત્રે માગણી કરી કે અમારા ગામમાં આવી તે જાએ. - વલ્લભભાઈ કહે નહિ ત્યાં સુધી નહિ,' એમ ગાંધીજીએ જવાબ આપ્યા. આખરે વલ્લભભાઈએ કહ્યું કે · જઈ આવે ’ ત્યારે તે સરભાણુ અને રાયમ જઈ આવ્યા. રાયમમાં હજારા માણસા આસપાસનાં ગામેામાંથી આવ્યાં હતાં, તેમને ખબર નહાતી કે દેશ આખા તેમની ચર્ચા કરી રહ્યો છે. સેંકડા સ્ત્રીએ હતી, અને એક ઠેકાણે કાંતવાનું પ્રદર્શન ગેાઠવ્યું હતું. બધાં ગોઠવાઈ ગયાં એટલે એક પછી એક બહેને પેાતાના અધ્ય` આપ્યા, ગાંધીજીને ભાષણ કરવું -નહેાતું, પણ આભારની ખાતર પણ ભાષણ કરવું પડયું. તેમણે
કહ્યુઃ
સરદારના હુકમ છે કે તેમના સિવાય કોઈએ ખાલવું નહિ એટલે મારાથી કશું ન ખેલાય. સરદાર હેાત અને હુકમ કરત તે ખાલત. આજે તા તમારી બહાદુરી અને તમારા સંગઠનને માટે તમને ધન્યવાદ આપું છું. રટિયાનું પ્રદાન જોઈને મને આનંદ થયા, પણ આજે રેંટિયા વિષે પણ ન ખેલું. આપણે જેમને સરદાર બનાવ્યા તેમના હુકમ અક્ષરશઃ પાળવા એ આપણા ધર્મ છે. હું સરદારના માટેા ભાઈ થાઉં એ વાત સાચી છે, પણ જાહેર જીવનમાં જેની નીચે આપણે કામ કરતા હોઈએ તે આપણા પુત્ર હાય કે નાના ભાઈ હાય તાપણ તેના હુકમ માન્ય રાખવા જ જોઈએ. એ કાંઈ નવા કાયદા નથી. એ આપણા પ્રાચીન ધર્મ છે. એ ધર્મનું પાલન કરવા માટે જ શ્રીકૃષ્ણે અર્જુનનું સારથિપણું કર્યું અને યુધિષ્ઠિર રાજાએ રાજસૂય ચજ્ઞ કર્યાં ત્યારે તેમણે પતરાળાં ઉઠાવેલાં. એટલે આજે તા માત્ર તમને ધન્યવાદ જ આપું છું. વલ્લભભાઈએ તમને દેશમાં પ્રસિદ્ધ કર્યાં. સરકારે તમને જગપ્રસિદ્ધ કર્યાં છે. ભવિષ્યમાં તમને હુયે મેટી ફતેહ મળે.”
66
આ બધા ભાઈએ અને બહેને રામભરેાસે બેઠાં હતાં અને સરદારનું પડયું વચન ઉપાડવાને માટે તૈયાર હતાં. ગાંધીજીએ આવીને તેમને ઊલટા વધારે વલ્લભભત બનાવ્યા.