________________
પ્રકરણ
આરોલી સત્યાગ્રહનો ઇતિહાસ બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બોરડોલીના અઢીસો સ્વયંસેવકે લોકોને પૈસે તાગડધિન્ના કસ્તા હશે, સ્વરાજ થાણાંમાં પડ્યા પડ્યા ઊંઘતા હશે, પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું, સ્વયંસેવક પણ રેંજીપેંજી નહિ પણ કઠણ જીવન ગાળનારા જેયા ઘણું જૂના જોગીઓ જેયા, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં ગરીબને પૈસે મિષ્ટાન્ન ઊડતાં હશે એવી એણે આશા રાખેલી, પણ ત્યાં તે તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદારૂ પણ આ રસોડે જલદી જલદી પોતાના કેળિયા ભરી બીજી છાવણીએ કામ પર જવાને તૈયારી કરતો જણાયો. દરરોજ મફત વહેંચાતી સત્યાગ્રહ પત્રિકાઓનું ખર્ચ થવું જોઈએ તેના કરતાં ઓછું થતું હશે એમ તેને લાગ્યું. આ બધું જોઈને એ બિચારે શું કરે ? એણે આંખ ચોળી. ગામડાંમાં સ્ત્રીઓની
અકૃત્રિમ નિભૅજ ભક્તિ જોઈને, તેમનાં મધુર ગીત સાંભળીને ‘પણ એ આભો બન્યો. એ ગીતમાન રાજદ્રોહ તેના કાનને ખૂઓ, પણું તે બહેનના અવાજમાં અને તેમનાં પ્રફુલ વદને . ઉપર તેણે જે વીરતા જોઈ એ વીરતા પણ વર્ણવ્યા વિના એને નહિ ચાલ્યું.
- ત્રીજું દશ્ય લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે તેનું જોયું. તેણે પોકારીને કહ્યું : “બેશક બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે.” આખો દિવસ બંધ રહેતાં ઘરમાં. પિતાનાં ઢોરઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયાં સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે, મળમૂત્રના ત્રાસથી કેમ કેઈ રેગચાળો ફાટી નીકળ્યો નહિ હોય, એ વિષે તેણે તાજુબી બતાવી, ઢોરોની દુર્દશા, તેમનાં શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો જોઈને તે થથરી ગયો. એનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ નહોતી, એટલે તેણે જડતાથી ટીકા કરી કે.વલ્લભભાઈ એ. આ ઢોર ઉપર અત્યાચાર કર્યો. 1. ૨૨૮
•