________________
આરડેલી સત્યાગ્રહને ઈતિહાસ
પ્રકરણ કર્યો, જેથી વસ્તુસ્થિતિ તેઓ નજરે નિહાળે અને પોતાની કાર્યદિશા વધારે સારી રીતે નક્કી કરી શકે. તેમણે બારડોલીમાં આવીને ઘણું ગામની મુલાકાત લીધી, ઘણી સભાઓમાં હાજરી આપી, ઘણું લોકે –પુરુષો તેમજ સ્ત્રીઓ –સાથે વાતચીત કરી અને તેમની તપાસને પરિણામે, પિતે ચુસ્ત બંધારણવાદી હાઈ “પિતાને વિરોધ દર્શાવવાને અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુઃખદાયક આવશ્યકતા ઊભી થયેલી” તેમને લાગી. ૧૭મી જૂને ના. ગવર્નરને એક વીરતાભર્યો કાગળ તેમણે લખ્યો. તેમાં બારડોલીના લોકોની સ્થિતિને તથા જે શાન્તિ અને ધીરજથી તેઓ દુઃખો સહન કરી રહ્યા હતા અને જેને લીધે તાલુકાના મહેસૂલી અમલદારો અપંગ થઈ પડ્યા હતા, તેનો તાદશ ચિતાર તેમણે આપ્યો. અહીં એટલું ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે શ્રી. મુનશીએ સરકારને અનેક કાગળો લખ્યા પછી જ, તથા તેમની ઓછામાં ઓછી અમુક ફરજ તે છે જ તેનું ભાન જાગૃત કરવા માટે પિતાથી બનતું કરી છૂટયા પછી જ બારડોલી આવવાનો નિશ્ચય કર્યો હતો; તેઓ સરદારના કે બારડોલીના લોકોની પ્રેરણાથી બારડોલી ગયા નહોતા; સાધારણ જનતામાં તે લડત માટેની તેમની સહાનુભૂતિ ઉપરઉપરની ગણાતી હતી; તેઓ રાજીનામું આપશે એવી કેટલાક તો આશા પણ રાખતા નહોતા; એટલે તેઓ સંપૂર્ણ તટસ્થતાથી બારડોલી આવ્યા હતા. પણ બારડોલી તાલુકાની મુલાકાતમાં તેમણે નહિ ધારેલી એવી વસ્તુઓ તેમને જોવાની મળી. પછી સરકારને તેમણે કાગળ લખ્યો તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની આંખ ઉઘાડવાનો જ હતો. આ કાગળે સ્વાભાવિક રીતે જે લોકોને ખૂબ ધ્યાન ખેંચ્યું. આખા હિંદુસ્તાનનાં પમાં એ કાગળ છપાયો. લડતના ઇતિહાસમાં એક મહત્વના પત્ર તરીકે એ પત્ર રહી જશે. એ કાગળમાં તેમણે જણાવ્યું
“ત્યાં ૮૦,૦૦૦ મરદે, બૈરાં અને બાળકે સુસંગઠિત વિરોધ દાખવવાની ભીષ્મ ભાવનાથી કૃતનિશ્ચય થઈ ઊભેલાં છે. આપના જમીઅમલદારને હજામ મળતો નથી ને તે સારુ તેને માઇલે સુધી રડવું પડે છે! આપના અમલદારની મોટર, જે કાદવમાં ખૂંચી ગઈ હતી તે
૨૧૦