________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ વર્ષના ગણવાની ભૂલનો આમાં આંખમાં ધૂળ નાંખનાર વિસ્તૃત બચાવ આપવામાં આવ્યા હતા. બૂમફીલ્ડ કમિટીએ એ આંકડાને સાવ ખોટા ઠરાવ્યા છે એટલે હવે એ તકરાર નાહકની ઉતારીને સ્થળને વ્યય ન કરું.
ખબરખાતાને પત્રિકાઓ કાઢવાનું શૂર ચડયું હતું એટલે રોજરોજ સરકારની ઈજજત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડયે જતા હતા. એક પત્રિકામાં જણાવવામાં આવ્યું કે પટેલતલાટીઓનાં રાજીનામાં ધમકી અને દબાણથી લખાવી લેવામાં આવ્યાં છે. પટેલતલાટીઓએ તુરત જ આ જૂઠાણાને ઉઘાડું પાડ્યું, પિતાની સહીને એક કાગળ પ્રકટ કરીને તેમણે જણાવ્યું કે એ વાત જુદી છે, અને એક તલાટીએ તો ઊલટું જણાવ્યું “અમે તે કેઈએ દબાણની વાત નથી કરી; બાકી ડેપ્યુટી કલેકટરે મને બહુ આગ્રહ કરીને કહેલું કે રાજીનામું પાછું ખેંચી લો, અને મને પગાર વધારી આપવાની લાલચ પણ આપી હતી!”
પણ ખબરખાતાના વડાનો શો વાંક કાઢીએ ? એનું તો એ કામ રહ્યું. બકે સરકારનાં કૃત્યોનો બચાવ કરવાને માટે એને પગાર મળે, એને પેલા અમલદારો જે પ્રકારનો બચાવ મોકલે તે જેમનો તેમ પિતાની ઑફિસમાં બેઠા બેઠા પિતાની સહીથી બહાર પાડવાને. પણ ખબરખાતાના ઉપરીને કયાંક ટપી જાય એવાં તો કલેકટરનાં. “ખેડૂતોનાં શુભ વચન” હતાં. એમાં પહેલેથી છેલ્લે સુધી નર્યું અસત્ય અને અસભ્યતા હતાં. કલેકટર શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને માટે નવાં વિશેષણોની નવાજેશ કરે છે : “દુરાગ્રહીઓ,” “બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ ખેતીની જમીન નથી તેવા પરદુઃખત્પાદક
ઋષિઓ.” કલેકટર બારડોલીના સત્યાગ્રહના વાતાવરણને હિંસાના - વાતાવરણ તરીકે વર્ણવે છે, અને સરદાર જ્યારે કહે છે કે ખાલસા જમીન ખરીદનારાઓ તે જમીન ખેડે તે પહેલાં તેમને અમારા સ્વયંસેવકના લોહીની નીક વહેવરાવવી પડશે અને તેમનાં હાડકાંનું ખાતર કરવું પડશે, ત્યારે તેને કલેકટર આ પ્રમાણે *ઊલટાવે છેઃ “હવે તે તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠે પણ