________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ: ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થના કરવાને આપણે ભેગા થયા છીએ.'
ખેડૂતોની સામાન્ય મનોદશા તે વેળા કેવી હતી તે કહેવું મુશ્કેલ છે. ખેડૂતને પિતાને ઇતિહાસ લખતાં આવડે તે તે લડતને જુદે જુદે અવસરે પોતાની બદલાતી મનોદશાનાં ચિત્રો આપે. પણ કેટલાક ખેડૂતે તે સિરસાટાની લડતને માટે તૈયાર થઈ રહ્યા હતા એ સ્પષ્ટ છે. સરકારી જાહેરનામું બહાર પડયું એ જ અરસામાં, એટલે “બારડોલી દિન'ના શેડા જ દિવસ આગળ, હું એક ખેડૂતને મળે હતો. એની સાથે વાત કરતાં ઉમંગ ચડે એવી. એણે વાતો કરી.
સરકારનું જાહેરનામું વાંચ્યું?” “હા ! સરકાર હજી વધારે આકરાં પગલાં લેશે.” “કયાં સુધી આ લડત ચલાવશો?”
ગમે ત્યાં સુધી. મારા ગામમાં તે પાકે બંબસ્ત છે. મારા ગામમાં એકે ભેંસ જ રહી નથી, શેની જમી લાવશે ? અરે થોડા વખતમાં ઘર જ એવાં કરી મૂકશું કે તેમાં ઊભો વાંસ ફરે ! અમે તે લડત બરોબર જામી ત્યારથી અમારાં તાંબાપિત્તળનાં વાસણ પણ કાઢી નાંખ્યાં છે. અમે માટીનાં હાંલ્લામાં રાંધીએ છીએ, અને માટીનાં વાસણમાં જમીએ છીએ. લઈ જાય જોઈએ તો એ વાસણ બહાર સાદડી ઉપર સૂઈ રહીએ છીએ; પલંગનો પણ નિકાલ કરી દીધું છે, કારણ પલંગ પણ ઉઠાવી જવા લાગ્યા છે. અને હવે અમે બીજે વિચાર કીધે છે. શા સાર ઘરમાં ભરાઈ રહેવું? એક ધર્મશાળા રાખીશું, એક બિનખાતેદાર એને કબજે લેશે, સૈ ત્યાં રાંધી ખાશું અને ફાળે પડતે ખરચ વહેંચી. નાંખશું.”
પણ સરદાર તમને કહે કે ગામ છોડીને ચાલ્યા જાઓ તો ?”
તો તો સત્તર આના. અમારાં બરાં છોકરાં તે ગાયકવાડીમાં અમારાં સગાંવહાલાંને ત્યાં ગયાં છે, ઢોર પણ ગયાં છે. ઘણું તે માત્ર અહીં સૂવાને માટે જ આવીએ છીએ.”
૧૮૬