________________
૨૦ મુ
ગાજવીજ
નાંખનારા કાગળો લખીને આપે એ ખારડાલીમાં બલિદાન પરાકાષ્ટાએ પહોંચ્યું હતું એમ બતાવે છે. જ્યારથી લડત શરૂ થઈ હતી ત્યારથી પટેલતલાટી ઉપર વલ્લભભાઈના મીઠા પ્રહાર પડચા જ કરતા હતા. ત્રણ મહિના અગાઉ તેમણે પટેલતલાટીને આ પ્રમાણે વર્ણવ્યા હતાઃ
“ આ રાજ્યરૂપી ગાડાને એ પૈડાં છે, એક પટેલ અને ખીો તલાટી; અથવા સરકારની ગાડીના એ બે બળદ છે. આ અળદ રાતદિવસ ખૂબ ફટકા ખાય છે, ગાળેા ખાય છે, કાઈકાઈવાર જરાક ગાળ ચટાડે છે તે મીઠા લાગે છે, અને માર ને ગાળ બધું ભૂલી ગાડુ ખેંચે છે.’'
આ પ્રહારાની કાઈકના ઉપર માઠી અસર થાય, પણ આ દેશભક્ત પટેલતલાટીએનામાં એણે ધર્મભાન જાગૃત કર્યું. આ પટેલતલાટીનાં રાજીનામાં અપાયાં ત્યારથી સરકારના સાંધા ખરેખર ઢીલા થવા લાગ્યા, અને સરકારી અમલદારાના ઉરમાં ખરી અરેરાટી પેઠી.
બલિદાનની નોંધ લેતાં આ વીર પટેલ
"6
ગાંધીજીએ આ તલાટીઓ વિષે લખ્યું : એ મને મારા આદરપૂર્વક ધન્યવાદ. એમના બલિદાનની આખા ભારતમાં સ્તુતિ થઈ રહી છે. એમનાં જેવાં અલિદાન જ આખરે આપણને સ્વરાજ્ય અપાવશે. ’