________________
૨૧
લોકશિક્ષણ હું ગુજરાતના ખેડૂતની રગેરગમાં અને હાડેહાડમાં સ્વતંત્રતાની. હવા પૂરવા માગું છું.” પારડોલીના ખેડૂતોની લડત કેવળ ભગવાનને જ ભરોસે
up ચાલ્યા કરતી હતી એમ તો કઈ ન જ માને. સરદારની સફળતાની કુંચી ખેડૂતનું તેમનું જ્ઞાન અને તેમના ઉપરને અપાર પ્રેમ હતો, તેમજ સરદારની લોકશિક્ષણની નિપુણતા પણ હતી. સરદાર લોકશિક્ષણના પાઠ એક પછી એક ધીમેધીમે ભણબે જતા હતા, એ વિવેકી વાચકના ધ્યાનબહાર ન હોય. આ લોકશિક્ષણના પાઠને ક્રમ આ પ્રકરણમાં આપવાનો પ્રયત્ન કરશું. એમાં ઘણું વાતનું પુનરાવર્તન થશે, પણ સરદારની લોકશિક્ષણની કલાના આવી રીતે અલગ પ્રકરણમાં ઉલ્લેખ કરવાના દેખીતા લાભો છે.
૧. ભડક ભાંગી-સરદારનો પ્રથમ પાઠ તો લોકોની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે. ગુજરાતના અને ખાસ કરીને બારડોલીને લેકે પિચા, ઢીલા ધોતિયાં પહેરનારા, માલ વિનાના મનાતા આવતા હતા. તેમને શૂરવીર બનાવવાની આ લડત હતી. એટલે પહેલવહેલું કામ સરદારે લોકોની ભડક ભાંગવાનું લીધું. અનેક ભાષણોમાં તેમણે લોકોને સમજાવ્યું કે, સરકારને ભય એ મિથ્યા છે, ભૂતના ભડકાના જેવો ભય છેઃ “આ મહેસૂલની લડત લડતાં આપણને માલૂમ પડી જવાનું છે કે આ
૧૭૦