________________
૨૧ મું
લેકશિક્ષણ આને માટે સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરાવવાની યોજના હતી. પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનાર આરંભથી જ શંકાની નજરથી જોવામાં આવતા, અને પ્રતિજ્ઞા ઉપર સહી ન કરનારાં ગામો ઉપર સરદારે પહેલા હુમલા કર્યા. પાછળથી પ્રતિજ્ઞા ઉપર સહી આપીશું એમ કહેનારાઓને તેઓ જવા દેતા નહોતા, ઊલટા - તેમને સારી રીતે ઉઘાડા પાડતા હતા.
તમારા મનમાં એમ હશે કે બેચારને પાડીને પછી આપણે એમની એથે રહીને ભરી આવશું, તો હું તમને ચેતવવા આવ્યો છું કે તમે ભયંકર કામ કરે છે, ને તેનું તમને ભેગવવું પડવાનું છે. જે નાવમાં આ તાલુકે બેઠે છે એ જ નાવમાં તમે બેઠા છે. જે નાવમાં ગાબડું પાડશે તે નાવ ડૂબશે, તાલુકો ડૂબશે, પણ યાદ રાખજો તમે બચવાના નથી.”
જ્યારે પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ થઈ રહી અને ક્યાંક ક્યાંક સરકારી નોકરોની ફસાવણીથી ખેડૂતે પડવા લાગ્યા એટલે સરદારે ખેડૂતોને કહ્યું: “મારી અને મારા સાથીઓની ગરદન કાપીને પૈસા ભરવા હોય તે ભરજે.'
એ જ પ્રમાણે સંગઠનને માટે બહિષ્કારના શસ્ત્રનો કડક પ્રયોગ પણ તેઓ જ્યારે સરકારથી વધારે છંછેડાયા ત્યારે ઉપદેશવા. લાગ્યા. કલેકટર કહે, લેકો બહિષ્કારથી ડરાવીને કોઈને ભરવા દેતા નથી; કમિશનર કહે, બહિષ્કાર જે બંધ થાય તે બધાં સારાં. વાનાં થાય; સરકારના જાહેરનામામાં પણ બહિષ્કારની વાત આવી અને એમાં તે લોકોને છાના ભરી જવાની નટ સૂચના પણ, કરવામાં આવી. આની સામે સરદારે ઠેરઠેર પોકારી પોકારીને કહ્યું, વહાણમાં કાણું પાડનારને ધકકો મારીને બહાર કાઢે, તેનું કાઈ મોટું ન જુઓ, તેની સાથે કાંઈ કામ ન પાડે. આમ બહિષ્કાર. પ્રતિજ્ઞા તોડનારને જ નહિ, પણ ખેડૂતની જમીન લેનારનો પણ ઉપદેશા. “સંગઠન કરવાનું કહું છું પણ સરકારને ગમતું નથી. પાંચ હજાર માઈલ દૂરથી આવીને એ લોકો પોતે શું કરે છે? સંગઠન કરીને આખા હિંદુસ્તાનને ગુલામ બનાવે છે. . . . ગમે તેવો ચમરબંધી હોય પણ બારડોલીના ખેડૂતને દગો દેતો હોય તેને દૂર કરજે, તેને સંગ છોડ; ગાર્ડી અને માનાજી
૧૭૩