________________
૨૨
બારડેલી દિન' “મટું મહાભારત યુદ્ધ થઈ ગયું તે પણ ૧૮ દિવસમાં પતી ગયું હતું. પરંતુ બારડેલીના લોકો કે જેમણે હાથમાં લાકડી પણ કદી પકડી નથી, તેમણે ચારચાર મહિનાથી આટલી તપબંદૂકવાળી સરકારને હંફાવી એ તમારી ઈજ્જતને મેઘો વારસ તમે ભવિષ્યની પ્રજા માટે રાખી જશે. ” .
ધ ડતને ચાર મહિના થઈ ગયા હતા. ચાર માસમાં એ બારડોલીના લોકોએ સ્વપ્ન પણ ન ધાર્યું હતું એટલા તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. પણ એ પ્રસિદ્ધ થવાનું ભાન તેમને ન ! એ જ તેમના સત્યાગ્રહને શોભાવનારી તેમજ સાચવી રાખનારી વસ્તુ હતી. પ્રસિદ્ધિને માટે કરતા હોત તો ક્યારના તેઓ પડી ચૂક્યા હોત.
બારડોલી દિન” આખા દેશમાં ઉજવવામાં આવ્યો, ગુજરાતનાં તો સેંકડ ગામે એ દિવસ ઊજવ્યો, સ્ત્રીઓ અને પુરુષોએ ફાળા કરીને બારડોલી પહોંચાડવા. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. મુંબઈના યુવકના ઉત્સાહને તે પાર નહોતો. તેમણે ઘેરઘેર જઈને ઉઘરાણું કર્યા, અને સરદારને મુંબઈ આવે ત્યારે ભેટ ધરવાની આલેશાન તૈયારીઓ રાખી. નેતાઓની સહાનુભૂતિ તો હતી જ, અનેક સ્થાને બારડોલી દિને” અનેક નેતાઓએ સભાઓ ભરી હતી. પણ સ્વ. લાલાએ “બારડોલી દિન” નિમિત્તે ચિરસ્મરણીય સહાનુભૂતિ
૧૭૮