________________
પ્રચંડ ભઠી ન સમજાયુંઃ મારે ઘેર ખાતું પતું નહિ, અને આ શી બલા આવી છે !
તલાટીઃ કેમ તમારે ખાતું નથી ? તમારી પાસે રૂા. ૧૫-૫-૫ નીકળે છે. તે લાવો.
પ્રેમીઃ અહીં કેવું લેણું? અમારી પાસે પાંચ વરહ થિયાં ભેયનું ઢેકું ની મલે ને તમે લેણું કાંથી કાઢે ?
તલાટીઃ ત્યારે કેશવ ઉકાનું ઘર કયું ? પ્રેમીઃ તે ઉં હું જાણું? હોધી લેવાની. મહાલકરીઃ ઘરવાળાનું નામ શું ?
પ્રેમીઃ નામ હું નથી કહેવાની, અમારું ખાતું નથી, બહાર જાઓ.
મહાલકરી ઘરને પાછલે બારણેથી જવાની તૈયારી કરતા હતા એટલે પ્રેમીબાઈએ તેમને રોક્યા. મારા ઘરમાં થઈને પાછલે બારણે નહિ જવાય એમ કહી તે રસ્તે રેકી ઊભાં રહ્યાં. તેની છોકરીએ બારણું બંધ કર્યું. સૈ નિરાશ થઈને પાછા વળ્યા.
આવી વીરાંગનાઓ અજાણી અણધારી જ્યાં ત્યાં નિર્ભયતાનો મંત્ર ઝીલીને વાતાવરણને શુદ્ધ અને વીરતાભર્યું બનાવી રહી હતી. | વાલડવાળા દોરાબજી શેઠને કિસ્સો હજી બંધ થયો નહોતે. આ એક પારસને ઢીલો પાડી સરકારને બધા પારસીને વશ કરવા હતા, પણ જેમ વાણિયાઓને જપ્તીનેટિસ આપીને પસ્તાયા, જમીન ખાલસાની નેટિસ આપીને પસ્તાયા, તેમ આ પારસીના ઉપર સિતમ ગુજારીને પણ તેમના નસીબમાં પસ્તાવાનું રહ્યું. અને એક પારસીના ઉપર આટલો સિતમ શો ? એ કેમ તો દારૂતાડીની વેપારી હોઈ સરકારી રાજ્યના એક ટેકારૂપ. તેટલા ખાતર પણ સરકાર ઉદાર થઈને એક ટેકીલા પારસીને જવા દઈ શકતી હતી. પણ નહિ; તેણે તો જેણે વધારે બહાદુરી બતાવી તેને વધારે પજવ્યા. આ કિસ્સામાં એક બીજી વસ્તુ નોંધવા જેવી હતી. જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દેરાબજી જ નહિ પણ તેનાં સાસુ બાઈ નવાજબાઈ હતાં. આ બાઈની ધીરજ આટઆટલી સતામણીમાં કેમ રહી હશે! કદાચ તે તેના
૧૨૧