________________
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી પાસે એવી તપાસ પણ સ્વીકારાવીએ.”, એટલે પેલો બંધ મંત્રી જવાબ આપે છેઃ “અરે, રામરામ ભજે, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તે તમારી ભૂલ છે.”
ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ધારાસભાના સભ્યો રાજીનામું આપવામાં કશું દુઃખ ન માને એમાં કાંઈ આશ્ચર્ય છે ! રાજીનામાના પત્ર ઉપર શ્રી. દાદુભાઈ દેસાઈ અને શ્રી. જીવાભાઈ પટેલ (ખેડાના સભ્ય), શ્રી. જેઠાલાલ સ્વામીનારાયણ (અમદાવાદના સભ્ય), શ્રી. વામનરાવ મુકાદમ (પંચમહાલના સભ્ય) શ્રી. ભીમભાઈ નાયક અને શિવદાસાની (સૂરત જિલ્લાના સભ્ય), અને શ્રી. દીક્ષિત (સૂરત શહેરના સભ્ય), આ સાત સજજનોની સહી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું:
જ્યારે કેઈ સરકાર પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાને ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોક જેવા ઉત્તમ અને નરમ લોકેને છંદવાને પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે ધારાસભાનાં અમારાં સ્થાનનાં રાજીનામાં આપવાની અમારી ફરજ લાગે છે.” - આના થોડા દિવસ પછી શ્રી. અમૃતલાલ શેઠ અને શ્રી. હરિભાઈ અમીનનાં રાજીનામાં પણ ગયાં.
સરદાર મહાસમિતિને ટાંકણે મુંબઈમાં હતા. કાર્યવાહક સમિતિના સૌ સભ્યોએ તેમને ખૂબ આવકાર આપે. જે સરદારે ઈયું હેત તે બધાંને બારડોલી ખેંચી લઈ જઈ શકત, પણ કોઈને આગ્રહ ન કર્યો. પંડિત મોતીલાલજીએ તેમને વિનોદમાં કહ્યું: “તમારી સ્વતંત્રતાનો વીમે ઉતારવાને કઈ તૈયાર થાય તે કેટલું પ્રિમિયમ લે? ” સૈને લાગતું હતું કે સરદાર સુરતમાં સરકારની જેલના મહેમાન થશે, ગાંધીજીને તેમનું સ્થાન લેવા જવું પડશે, અને બારડોલી તુરત અખિલ ભારતીય પ્રશ્ન થઈ પડશે. પણ શ્રી. વલ્લભભાઈએ તો ન કેાઈને આવવાને આગ્રહ કર્યો, ન કોઈને સૂચના સરખી કરી. સરકારને બારડોલીને મુદ્દાને અવળો અર્થ કરવાની તક મળે એ શ્રી. વલ્લભભાઈ કોઈ કાળે થવા દે એમ નહોતું.
'૧૪૯