________________
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ . અંતે લડત ચલાવવામાં લોકે કેટલી ખામેશા રાખી રહ્યા હતા, સામાન્ય ખેડૂતો પણ કેટલું તેજ બતાવી રહ્યા હતા તેનાં એક ચિત્ર આપી આ લંબાયેલું પ્રકરણ પૂરું કરીશ.
સરભેણ ગામમાં પોણોસો વરસના એક પેન્શનર દેશાઈ જેમણે બિચારાએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરી નહોતી તેમને દબાવવાને માટે નવા જમીદારસાહેબે તેમના બારણે રાતદિવસનો ઘેરે ઘલાવ્યો. આગલે બારણે બંદૂકવાળો પોલીસ અને પાછલે બારણે બે પઠાણે ! અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૫ કલાકને એ પહેરે થઈ ગયો હતો. આગલી રાત્રે બે અઢી વાગ્યાથી શરૂ થયો હતો. સામાન્ય રીતે ઘરમાં ભરાઈ રહેતાં છતાં સભાઓને માટે, હાજતેને માટે, માણસો બહાર નીકળતા. અહીં આવી રીતે બહાર નીકળવાનું બને કે તુરત જ ઘરમાં જમી લઈ જવી એવા ઇરાદાથી ૨૪ કલાકનો ઘેરો ઘાલ્યો હતો, એટલે જપ્તીમાંથી બચવું હોય તો પિસાબપાણીની હાજતે પણ ઘરમાં કરવી, ઢોરને પણ પાણી પાવાનાં સાંસાં ભેગવવાં એવું થઈ પડયું હતું. અને આ “ઘેરે” તે કોની સામે! એક પિણોસ વર્ષના પેન્શનર અને તેમની સ્ત્રી – ઘરમાં બે જ જીવ – એમની સામે. આ હેવાનિયતભરેલો ઘેરે બીજે જ દિવસે “ઉપરના” હુકમથી ઉઠાવી લેવામાં આવ્યો હતો, પણ અમે ગયા ત્યારે તો ડોસે ડોસી બંને પ્રસન્નતાથી ઘેરા સામે ઝૂઝી રહ્યાં હતાં. મેડીની બારીએ બેસી ડોસી માળા જપતાં હતાં. વલ્લભભાઈએ પૂછયું: “કેમ માજી ! ગભરાતાં નથી ના ?” “ના, ભાઈ તમારો આશરે છે ને!” વલ્લભભાઈએ કહ્યું: “મારે નહિ, રામજીને આશરે.” કેઈએ પૂછ્યું: “પઠાણપોલીસ પડ્યા છે તે ?” માજી કહેઃ
ભલે પડ્યા. એ ન આવ્યા હતા તે સરદારનાં પગલાં આપણે ઘેર કયે દિવસે થવાનાં હતાં!' - એકે તિરસ્કારનું કે કૈધનું વચન નહતું, અધીરાઈ નહોતી; બીજાઓને થતા ક્રોધને પણ શમાવી દે એટલી માછની શાંતિ હતી.
આ અરસામાં હું એક દિવસ બારડોલી ગયો ત્યારે રસ્તામાં રાયમ ગામના એક ખેડૂત ગોસાંઈભાઈ મેં મલકાવતા ગાડું જોડી
૧૫૮