________________
૧૯મું
ગવાઈ રહેલું બારડોલી કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલી સત્યાગ્રહીઓની માગણે ન સ્વીકારી મુંબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે મહાસભાની આ કાર્યવાહક સમિતિ બારડેલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે;
અને બારડોલી સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટા ભાગે આપીને ઊભા રહેવાને માટે શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓને આભાર માને છે, અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે
અને મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદેસર અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખ્ત નાપસંગી જાહેર કરે છે;
આ સમિતિએ ઉત્તર વિભાગના કમિશનરે સૂરતના એક ડાકટરને લખેલે પત્ર વાંચે છે, જેની અંદર કમિશનરે શ્રી. વલ્લભભાઈ પટેલ અને અબ્બાસ તૈયબજી અને ડા. સુમંત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકેને “લોકેના ઉપરે જીવનારા અને તેને આડે રસ્તે દેરવનાર ચળવળિયાઓનાં ધાડ’ તરીકે વર્ણવ્યા છે, જેની અંદર અનેક ઘણું અતિશયતાભરેલાં વચને એવાં છે કે લગભગ જૂઠાણું કહેવાય; અને આ સમિતિ આ કાગળને અતિશય અપમાનભરેલો અને એક ઊંચે હદે ધરાવનારા અમલદારને ન છાજતો માને છે તેથી આ સમિતિ મુંબઈની સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મગાવીને તે ખેંચી લેવાને હુકમ કરે, અને તેમ ન કરે તો તેને બરતરફ કર;
અને આ સમિતિ મુંબઈની સરકારને વિનંતિ કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી, અને આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડયું છે એટલે પ્રજાને આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી.”
આ ઠરાવ ઉપરથી માલૂમ પડશે કે મુંબઈની ધારાસભાના કેટલાક સભ્યએ બારડોલીને કારણે પિતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં હતાં. એક આગલા પ્રકરણમાં આમાંનાં ચાર સભ્યોની બારડેલીની મુલાકાત વિષે ઉલ્લેખ થઈ ગયું છે. આમાંનાં રા. બ. ભીમભાઈ નાયક તે ૧૯૨૬થી આ બાબતમાં રસ લેતા આવ્યા જ હતા, અને સરકારની સાથે લખાપટ્ટી ચાલુ રાખી
૧૪૭