________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ પડતો હતોઃ “ભાઈ, એ માણસને જવાબ આપવા દે, તમે શા સારુ એના વતી બોલો છે ?”
તલાટીએ પહેલીવાર ફરિયાદ કરેલી તેમાં તે સન્મુખલાલની ધમકીનાં ઘણું વાક્ય હતાં. અદાલતમાં આવીને તેની હિંમત ક્યાં ચાલી ગઈ તે તો કોણ જાણે ? સન્મુખલાલની સામે હડહડતું જૂઠાણું બોલતાં કદાચ તેની છાતી હેબતાઈ ગઈ હોય તો રામ જાણે!
ઘડીઘડીએ મૂછ પર હાથ ફેરવતા ફોજદારસાહેબને પણ અર્ધા વાક્યો સરકારી વકીલ પાસે પૂરાં કરાવવાં પડતાં હતાં!
ત્રીજા સાક્ષી પટાવાળાને તો બિચારાને સન્મુખલાલની ખબર નહોતી. “ગાંધીવાળા હતા ખરા. કોણે શું કહ્યું તે કાણુ જાણે ?” એની ગ્રામ્ય ભાષામાં, “ઉં હું જાણું?’ એ જ વાક્ય બધા સવાલનો એનો એક જવાબ કહી શકાય. આ પુરાવા (૨) ઉપર સન્મુખલાલને છ માસની સખ્ત કેદની સજા મેજિસ્ટ્રેટે ફરમાવી. જેને પુરા કાંઈ કામમાં આવી શકે એવા જતીઅમલદારને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા જ નહોતા.
આ પછી દૃશ્ય બીજું ખડું થયું. ભાઈ શિવાનંદ અને અમૃતલાલને રજૂ કરવામાં આવ્યા. જાણે હમણું જ સૈને ચપટીમાં મસળી નાંખશે એવા રૂઆબથી એક ઉત્તર હિન્દુસ્તાનને મુસલમાન આવીને ઊભે. એણે પિતાનો પાઠ સરસ ગેખેલો હતો. પિતાના જવાબથી જાણે કેટને પણ ધમકાવવા માગતા હોય એવા આ વીરે ફરિયાદ નોંધાવી કે શિવાનંદે (તેની આગળ બાળક જેવા લાગતા શિવાનંદે) તેની ઉપર ધસારો કર્યો, અને અમૃતલાલે હાથ ઉગામ્યા ! મેટર હાંકનાર અને કલીનરે તેના કહેવામાં જેમતેમ ટાપસી પૂરી! જતીઅમલદાર સાહેબ તો તેમને કેથળા ઉપાડવાને હુકમ આપીને ચાલ્યા ગયા હતા, એવો સીને પુરા હતો !
આવા માણસોની ઊલટતપાસ કરવી એ પણ નામોશી પામવા જેવું હતું. મેજિસ્ટ્રેટ ચાહે તે પગલે પગલે આ
૧૨૬