________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ આપવું કે જેને ભરવા જવું હોય તેમને કોઈ મારતું નથી કે તેમની સાથે કઈ વેર બાંધતું નથી.”
મેતાને કિસ્સો શોચનીય હતો. જે માણસોએ પૈસા ભરી દીધા તેમણે જ ગામના તરફથી બાંહેધરી આપી હતી. પણ એ લોકો શ્રી. વલ્લભભાઈના શબ્દોમાં બે ઘડે ચડનારા હતા, તેમને લોકોને પણ ખુશ રાખવા હતા અને સરકારી અમલદારોની પણ ખુશામદ કરવી હતી. મેતાના કિસ્સા વિષે બોલતાં શ્રી. વલ્લભભાઈ બોલ્યાઃ
તમે આ અમલદારના ભમાવ્યા ચાળે ચડી ભરવા જશે તો એમની મહોબત તમને મુસીબતમાં નાંખશે, ને તમારા ઘરમાં ઝગડા જાગશે. ફેજદારસાહેબ માતામાં બે દેશાઈ એ એમની દોસ્તી કરેલી તેમની પાસેથી પૈસા ભરાવી આવ્યા. જેણે ઊભા થઈને ગામ વતી ખાતરી આપેલી ને પ્રતિજ્ઞા પર સહી કરેલી તે દેશાઈએ આજે ઠપથી ધારાં આંસુ પાડે છે. ઘરમાં દીકરાએ એને ત્રણ દિવસથી આની ગંધ આવવા લાગી ત્યારથી ઉપવાસ કર્યો છે. શરમના માર્યા બહાર નીકળાતું નથી, અને એણે માફીને કાગળ મારા ઉપર મોકલ્યા છે. એમને ભય બતાવ્યું હશે કે દેશાઈગીરી જશે. દેશાઈગીરી રહી પણ આબરૂ તો ગઈ. ફેજદારસાહેબ શી ધાડ મારી આવ્યા ? કાનખજૂરાના બે પગ તૂટ્યા તેય શું ને રહ્યા તોય શું? લશ્કર લડવા નીકળે છે તેમાં થોડાઘણું કપાયા વિના રહે છે.? કઈ વળી મૂડી વાળીને નાસી જનાર ને માં કાળું કરી લેનારે પણ નીકળે છે. તેથી શું? મોતા ગામના આગેવાનોએ તે પેલાને કહ્યું, શું કામ રડે છે? મને પણ આવીને કહી ગયા, ભલે એણે ભર્યા, કેઈએમને નહિ કનડે, અમે એને રક્ષણ દેશું.”
પણ લેકોને આવા કાનખજૂરાના છેડા પગ તૂટે તેને ડર રહ્યો નહોતે. ભેંસના ઉપર ગુજરતો ત્રાસ સાલતો હતો ખરો, અને ઉકળતા તાપમાં બારણાં, ઢાંકીને ભરાઈ રહેવું તે કેને ગમે? આ લોકોને રીઝવીને, હસાવીને, લડાઈમાં અડગ રાખનાર શ્રી. વલ્લભભાઈની તોલે આવે એવા લડવૈયા વિરલ છે. કોઈ ઠેકાણે. કહે છે: “તમારા જપ્તીદાર બહ્મણ છે. ચાર વાગે ઊઠીને પ્રભુસ્મરણ કરવા કે પ્રભાતિયાં બોલવાને બદલે આજકાલ ભેંસોનું સ્મરણ કરે છે. આ જમીદારથી કેણ ડરે, અને એને કાણું ગણકારે? બીજે ઠેકાણે કહે છેઃ “વાલોડના થાણામાં એક જણ
૧૩૨