________________
૧૬
પ્રચંડ ભઠ્ઠી બારડેલી તાલુકામાં આજે એક પ્રચંડ ભઠ્ઠી સળગાવવામાં આવી છે. તેમાં શુદ્ધ બલિદાન આપવાનું છે. . . . ભલે ગેરું લશ્કર આવે અને ગામેગામ સેલરે બેસે. તેથી એ ડરાવી નહિ શકે. આપણે એવું શાંત સ્વચ્છ વર્તન રાખો કે આ બધી પોલીસને ભમરડે રમવા સિવાય બીજું કંઈ કામ ન રહે.” પો લસાની નોટિસની સંખ્યા હવે લગભગ હજાર સુધી
પહોંચી હતી, અને ખાલસા થનારી જમીનની કિંમત તે ન સરકારધારો અનેક વખત તેમાંથી ભરાય એટલી હતી. આ જમીનને તે સરકાર કશું કરી શકે એમ નહોતું. પણ લોકોને જે રસ્તે જેટલા દબાવાય તેટલા દબાવવા અને તેડવા એટલો જ હેતુ હતો. લોકે આ ખાલસાની નોટિસને પણ પીળાં પતાકડાંની જેમ ગણવા લાગ્યા.
સરકાર નિર્લજજતામાં આગળ વધ્યે જતી હતી. ભેંસોને હરાજીમાં લેનાર તાલુકામાંથી કોઈ મળે નહિ એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવામાં આવતા હતા. લોકોને આથી વધારે ઉશ્કેરનારી વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એક ભેંસનો તો બારડોલી થાણામાં ભોગ લેવાયો હતો એ આપણે જોઈ ગયા. તાપમાં ભેંસો પાણી વિના ટળવળતી હતી અને બરાડા પાડતી હતી, લિલામ થતાં જાય તેમ પાણીને મૂલે તે કસાઈને ઘેર જતી હતી. બારડોલીના નગરશેઠે મામલતદારને કહ્યું, “આ બિચારી ભેંસને બરોબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું ઘેલું દાન આપવા માગું છું.' મામલતદારે કહ્યું, “ સરકારની પાસે તિજોરીમાં પૂરતાં નાણું છે, તેમને તમારી મદદ નથી જોઈતી !'
. ૧૧૯