________________
૧૪ મું.
ખામોશીના પાઠ મોટર ભાડે કરવા ઊપડ્યા. મેટરના ડ્રાઈવરે મોટર આપવાની ના પાડી, કારણ સત્યાગ્રહીઓએ તે મેટર રોકેલી હતી. એનું - લાઈસન્સ માગવામાં આવ્યું તે નહોતું, પણ પિત્તળને બિલ્લો તેની પાસે હતા તે લઈ લેવામાં આવ્યું. બીજા ટેકસીવાળાની ટેકસી શ્રી. વલ્લભભાઈને માટે રાખેલી હતી. તેની પાસેથી પણ તેનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. કલેકટર સાંજે સરભોણ ઊપડ્યા. તેમનું આગમન જેઈને જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યાં, એટલે લાગલાં જ બધાં બારણાં બંધ થયાં. પણ પટેલ બિચારા બચી શકે ? તેને બોલાવવામાં આવ્યા. તેને પૂછવામાં આવ્યું, તમે મહેસૂલ ભર્યું છે?” તેણે જવાબ દીધો: “ઈનામી જમીનનું મહેસૂલ ભર્યું છે, કારણુ બારડોલીથી સરદારના હુકમ નીકળ્યા છે કે એ મહેસૂલ ભરી દેવું.” તેને કહેવામાં આવ્યું કે બીજી જમીનનું પણ ભરી દો અને બીજાઓને ભરવાનું કહો. “એ વાત નકામી છે,” પટેલે કહ્યું, “એ કાંઈ મારાથી કે કોઈથી બને એમ નથી. લોકો માર સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે બીજા કિશાની પડી નથી.' કલેકટરે તેને વધારે ન સતાવતાં બીજે ગામે કૂચ કરી. બીજે દિવસે તલાટીઓની એક સભા બોલાવી અને તેમને કહ્યું કે ગામના નકશા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડે કે જે ખરીદનારાઓને આખા જથામાં આપી શકાય. આટલી ફરજ બજાવીને ક્રોધાવિષ્ટ કલેકટર સૂરત રવાના થયા. બીજે દિવસે સરકારના માનીતા “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” પત્રમાં તેમણે ઈન્ટરવ્યુ આપી:
ઘણું ખેડૂતે જમીન મહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકીઓ આપવામાં આવે છે. જે ખેડૂતે બહારથી આવેલા અને જેમને ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીઓએ આપેલી બેવકૂફ સલાહ માનશે તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાને દરેક સંભવ રહે છે.”
આના જેવું હડહડતું જૂઠાણું અને બદનક્ષી બીજી કઈ હોઈ શકે? કલેકટરને લોકો તે કઈ મળ્યા નહોતા. પટેલ
૧૯૫