________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ઈશ્વરકૃપાથી પાક્યું છે તે મહેસૂલ ભરી દેવું એ તમારે ધર્મ છે. કરડે રૂપિયાની લોન લઈએ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર ૧૦ લાખ રૂપિયા મફત પણ આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કમને પણ થઈ શકે તેટલી મદદ કરી છે, ત્યાં પછી એવા સંજોગોમાં તેની સાથે કજિયો કરવો એ આપણને શોભતું નથી. હું અભિમાન નથી કરતા, પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જે સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હેત અને તુરત બી પૂરું પાડયું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં ૫૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જયારે મેં બરડેલી તાલુકાના ખેડૂતની વાત સરકારને લખી છે. એમને અન્યાય થયો છે, ખેડૂત કેટલા પાયમાલ થઈ રહ્યા છે એ જણાવ્યું, અને ગુજરાતમાં એકબે ઊભા રહ્યા હશે તેમને તમારું સ્ટીમરેલર કચડી નાંખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે “તું તે બહારનો છે !”
પણ હવે તો સરકારને કશું સંભળાવવાનું કે ખુલાસા કરવાનું રહ્યું નહોતું. સરકાર આગળ શાં પગલાં લેવાં તેની પેરવીમાં હતી, તેની ઊંઘ અને ઉદાસીનતામાં – અથવા તેના અભિમાનયુક્ત પ્રમાદમાં–હવે ભંગ પડવો, દરિયાની હવા ખાતા કમિશનર મિ. સ્માર્ટને સુરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા, અને કલેકટર જે પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી ઉપરથી ઉતરવાના હુકમ નીકળ્યા. ખૂબીની વાત એ છે કે આજ સુધી કલેકટરને બારડોલીમાં આવવાની ગરજ જણાઈ નહોતી. પિતાના એક મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટીને ચમે જ તે આખી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા. પણ હવે તેમને પરાણે બારડોલીની મુલાકાતે આવવું પડયું. બારડોલીમાં તેમણે શું જોયું? બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. જપ્તી કરવાવાળાઓ સામે લોકોને બીજો શો ઉપાય હોય ? આપણે જોઈ ગયા છીએ કે આખા તાલુકામાં ગામડાં બધાં રમશાનવત્ લાગતાં, કારણ કેાઈ અમલદારોને પંથે ચડતું નહોતું, અને કામ વગર બારણું ઉઘાડતું નહોતું. પણ કલેક્ટરે જૂની આંખે નવા તમાશા જોયા. તેમણે બારડોલીથી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો તેમને માટે