________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાધ્યો. જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી?
આ સરકારને ન્યાય કેણુ શીખવે? કેવળ સત્યાગ્રહી. બુદ્ધિવાદથી. સરકાર અપરાજિત છે. બળિયાનું બળ જ તેની બુદ્ધિ હોય છે. તે તલવારની અણીએ ન્યાય ખે છે. આ તલવાર સત્યાગ્રહની બેધારી. તલવાર આગળ બુઠ્ઠી છે. જે બારડેલીના સત્યાગ્રહીઓમાં સત્યનો આગ્રહ હશે, તે કાં તે પંચ નિમાશે, અથવા વલ્લભભાઈની દલીલનો સ્વીકાર થશે. અને વલ્લભભાઈ પરદેશી મટી સ્વદેશી ગણાશે. - બીજા પ્રશ્નો આ પત્રવ્યવહારમાંથી નીકળે છે તેનો વિચાર હવે પછી. બાજી બારડોલીના લોકોના હાથમાં છે એટલું તેઓ યાદ રાખશે તો બસ છે.”