________________
ખામેથીના પાઠ લખેલ કે એ કશી ખાત્રી માનવી નહિ, ને બારડેલીના પિોચા ખેડૂતો ટકી શકશે નહિ. પણ બે માસ પહેલાં તે શ્રી. વલ્લભભાઈ પોતે પણ આજની તમારી તૈયારી માની શક્ત નહિ. બારડેલી તાલુકાના ખેડૂતે જે આ લડત માટે તૈયાર થઈ શકે છે તો તેઓ સ્વરાજ્ય પણ લઈ શકે. હું માનું છું કે અંગ્રેજી રાજ્યના કફનમાં આ લડતથી પહેલો ખીલો ઠેકાશે. આ દેશની પ્રજા રાજ્ય માટે લાયક છે એ આ લડતથી દુનિયાની સામે સિદ્ધ થઈ જશે. કેઈ પણ સ્વતંત્ર દેશની પ્રજા પણ પોતાના હક માટે આથી વધારે ન કરી શકે. સરણમાં મને એકવાર એક વૃદ્ધ અનાવિલ ભાઈએ કહેલું કે અમે તો ગાય જેવા છીએ, અમને વાઘથી બચાવે. મેં કહ્યું. જ્યાં સુધી ખેડૂત ગાય રહેશે ત્યાં સુધી તેને વાઘનો ભય રહેવાને જ. તેણે પોતે ગાય ટળી વાઘ થવું જોઈએ. હવે હું તમારામાં એવું સંરક્ષણનું બળ આવેલું જોઈ રાજી થાઉં છું. તમે જે વચન શ્રી. વલ્લભભાઈને આપ્યું છે તે તેમને એકલાને જ આપ્યું છે એમ ન સમજજે, એ વચન તો તમે આપણી માતૃભૂમિને આપ્યું છે, પરમેશ્વરને આપ્યું છે. જે બધા એકસંપથી રહેશે તે ખાત્રીથી માનજે કે સરકાર કંઈ કરી શકનાર નથી.”
રાવ બહાદુર ભીમભાઈની વાણીમાં પણ જાણે શીલા ખેડૂતોને જોઈને નવું જોમ આવ્યું હોય તેમ તેઓ બેલેલાઃ
“વલ્લભભાઈની કાર્યપદ્ધતિમાં અને અમારીમાં ફેર છે, પણ આ લડતમાં અમે એક છીએ. કારણ આ લડતના પક્ષમાં સત્ય છે. ગમે તેટલી હેવિ કે વિમાને લાવીને ગોઠવે તો પણ ખેડૂતને અસંતુષ્ટ રાખીને કેઈ રાજ્ય નભી શકતું નથી. મેં અગાઉ કહેલું ને ફરીવાર કહું છું કે અંગ્રેજ રાજ્યને પાયે પણ ખેડૂતના અસંતોષથી જર્જરિત થશે; તેથી હું અહીંથી ફરી એકવાર સરકારને વિનંતિ કરું છું કે હજુ પણ ખેડૂતને સંતોષ આપે, નહિ તે જે કાંઈ પરિણામ આવશે તેનો દોષ સરકારને શિર રહેશે.”
આ અનુભવો પછી બધા સભ્યો સત્યાગ્રહી ખેડૂતોની સાથે સક્રિય સહાનુભૂતિ શી રીતે બતાવવી તેનો વિચાર કરતા બારડોલીથી વિદાય થયા.
સરદાર વલ્લભભાઈ હવે પિતાની શક્તિ અને પિતાના બળની ગણત્રી કરી રહ્યા હતા, હવે પછીથી આવનારા હુમલાની પિરવી શી રીતે કરવી તે વિચારી રહ્યા હતા. જેટલી ઘડી તેઓ