________________
૧૩ મું
ખેડૂતના સરદાર અને પિતાને એ વર્ણનને વધારેમાં વધારે મળતા આવે એવા ખેડૂત અને ખેડૂતાણીઓ અથવા કણબી અને કણબણે એમને બારડોલીમાં જવાનાં મળ્યાં, એટલે એમનું હૃદય બારડોલીમાં વિશેષ કવવા માંડયું. એ લોકોની ધર્મશ્રદ્ધા, એ લોકોની પ્રતિજ્ઞાપાલનને માટેની તીવ્ર લાગણી જોઈને શ્રી. વલ્લભભાઈમાં પણ એકવારની ઊંડી ઈશ્વરશ્રદ્ધા જે અમુક કાળ સુધી લુપ્ત થઈ હતી તે પાછી જાગૃત થઈ ગાંધીજીએ એકવાર કહ્યું હતું તેમ વલ્લભભાઈને બારડોલીમાં વલ્લભ મળ્યા. આ વસ્તુમાં વલ્લભભાઈની ખેડૂતની સરદારીનું રહસ્ય રહેલું છે. બારડોલીનાં કણબીઓ અને કણબણે વલ્લભભાઈ ઘેલાં થયાં હતાં, એ વાત સાચી; પણ વલ્લભભાઈ પણ બારડોલીમાં આવીને ખેડૂતઘેલા થયા.
“જ્યાં જઈશું ત્યાં જમીન મળશે, પણ ખેડૂતની પ્રતિજ્ઞા તૂટશે તે ધરતી પર વરસાદ આવવાને છે શું? ખેડૂત પ્રતિજ્ઞા ન પાળે તો પૃથ્વી રસાતળ થઈ જાય.” આ વસ્તુનું દર્શન જેવું સરદારને થયું હતું તેવું જ દર્શન સરદારઘેલા ખેડૂતોને તેમણે કરાવ્યું.
જ્યારે જ્યારે ખેડૂતને તેની દશાનું ભાન કરાવતા, તેને મીઠા ઠપકા દેતા અને તેના ઊંચા સ્થાનનું સ્મરણ કરાવતા સરદારનો વિચાર કરું છું, ત્યારે ત્યારે જેમ ખેતરને સાફ કરી સુંદર ચાસ પાડી તેમાં ઊભેલો ખેડૂત પેલા ખેતર વડે શોભે છે, અને ખેતર તે મહેનતુ ખેડૂત વડે શોભતું લાગે છે, તેમ બારડોલીના ભોળા ખેડૂતોને તેમના સરદારથી શોભતા, અને “આબરૂની ખેતી કરાવનાર” એ સરદારને પિલા ખેડૂતોથી શોભતા જેઉં છું.
“ બેડૂતોના સરદાર” શબ્દ વપરાયો ત્યારે વલ્લભભાઈને કદાચ ન ગમ્યો હોય – દેશસેવકોને આવાં વિશેષણો આપવામાં આવે છે એની એમને ચીડ છે– પણ આજે જે કોઈના સરદાર થવાનું શ્રી. વલ્લભભાઈ પસંદ કરતા હોય તો તે ખેડૂતના જ સરદાર થવાનું પસંદ કરે છે એ વિષે કશી શંકા નથી.
પણ હવે સરદારનાં અને સરદારના સૈનિકોનાં પરાક્રમો તરફ પાછા વળીએ. ,