________________
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ ખેડૂતને સરકાર મરે છે, અને આપણા ભણેલાઓ જે તેના હાથારૂપ બને છે તેઓ મારે છે.'
વોલ્ટરનું એક તીખું વચન છે કે “રાજદ્વારી પુરુષોએ પિતાના રાજકાજમાંથી એક કળા કેળવી છે, જેથી જમીન ખેડીને લોકોને અન્ન ખવડાવનાર વર્ગને ભૂખે મારવાનું સહેજે બની શકે.” પ્રજાના ઉપર થતા અન્યાય અને અત્યાચાર સામે લડવાની શ્રી. વલ્લભભાઈની ઝનૂનને કોઈની ઝનૂનની સાથે સરખાવી શકાય તો તે વૈલરની ઝનુનની સાથે જરૂર સરખાવી શકાય. બી. વલ્લભભાઈ એ વિલ્હેરનું નામ પણ કદાચ ન સાંભળ્યું હોય; પણ વૉલ્ટરનું ઉપર ટાંકેલું વચન જાણે તેમની રગેરગમાં ઊતરી ગયું હોય એમ લાગે છે. અને ગરીબ ખેડૂતને રેંસનારા વિષે, ભોળા ખેડૂતના અજ્ઞાનનો લાભ લેનારા વિષે, જ્યારે જ્યારે તેઓ બેલે છે ત્યારે ત્યારે વરની કલમની માફક વલ્લભભાઈની જીભમાંથી વહ્નિ વર્ષે છે.
ખેડૂતને માટેનો તેમનો ઊભરાઈ જતો પ્રેમ બારડોલીમાં જે જેવાને મળે તે ભાગ્યે જ ક્યાંય જોવા મળ્યા. બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મેટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી. ચારચાર પાંચ પાંચ સભાઓમાં ભાષણ કર્યા છતાં તેમને મધરાતે કહેવામાં આવે કે હજુ એક ગામ રહ્યું છે, તો ત્યાં જવાને પણ તેઓ તૈયાર થવાના જ. આનું કારણ એક એ પણ હતું કે ખેડૂતોને માટે તેમને સ્વાભાવિક અનુરાગ બારડોલીમાં વૃદ્ધિ પામે. “ખેડૂત જેવો પ્રામાણિક માણસ, જેને કોઈ બૂરું વ્યસન નથી, જે કશે ગુનો કરતો નથી, જે જાતમહેનતથી પરસે પાડીને રોટલો ખાનાર છે, જે ઈશ્વરથી ડરનારો છે તેને ઈશ્વર સિવાય બીજા કોને ડર હોય?” આમાં વિરોધાભાસ છે. આટલો સ્વચ્છ અને પવિત્ર જે હોય તે નીડર હોવો જોઈએ. એ વિરોધાભાસ શ્રી. વલ્લભભાઈ નથી જાણતા એમ નથી, પણ પિતાના આદર્શ ખેડૂતને ચિતાર એમણે એ શબ્દોમાં આપી દીધું છે,