________________
બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ સાચી છે એની તમને ખાતરી છે, ત્યારે એમણે કહેલું કે એ લેખે ન વાંચ્યા હતા તે મને તો ખાતરી જ હતી. કારણ હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીન મહેસૂલની વિટંબણુ વિષેની ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈએ એવી મારી ગળા સુધી ખાતરી છે. ખેડાના ખેડૂતની પાયમાલી પિતાની આંખે જોઈ હતી, અને એ પાયમાલીને ઉપાય કરવાને બદલે રેવન્યુ ખાતાના અમલદારો એને વધારે ને વધારે પાયમાલીને પંથે ચડાવી રહ્યા હતા એ વિષે પણ એમને શંકા નહોતી, એટલે બારડોલીના લોકે જરા પણ તૈયાર હોય તે બારડોલીની લડત ઉપાડવી અને બારડોલી દ્વારા આખા ગુજરાતના ખેડૂતોને પ્રશ્ન આખરે પતાવ એ એમનો મનેરથ.
ખેડૂતના એમના નિરવધિ પ્રેમની અંદર બે ભાવના રહેલી છે. એઓ વારંવાર કહી સંભળાવે છે: “કણબી કેડે ક્રોડા કણબી કેઈ કેડે નહિ!” “એ ખેડૂત તું ખરે જગતને તાત ગણાય.”. એ વચનને એઓ અક્ષરશઃ સત્ય માને છે, અને વારંવાર સંભળાવે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર,વગ ખેડૂત અને મજૂર છે, બાકીના બધા ખેડૂત અને મજૂર ઉપર જીવનાર છે. એ પેદા કરનારાઓની સ્થિતિ સાથી ઉત્તમ હોવી જોઈએ, તેને બદલે આપણે સૈથી અધમ કરી મૂકી છે. એટલે બીજી ભાવના એ રહેલી છે કે ખેડૂતે સર્વોપરી સ્થિતિ જોગવવી જોઈએ તેને બદલે તે અધમ સ્થિતિ ભેગવે છે તેનાં કારણે ખેડૂત ડરપોક બની ગયો છે, ખેડૂત અજ્ઞાન છે, એ છે. એટલે ખેડૂતમાંથી ડરને નાશ કરી, તેને મરદ બનાવવો, ખેડૂતને પિતાની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ ભાન કરાવવું એ જ એમણે પિતાનું પરમ કર્તવ્ય માન્યું.
આ ધરતી ઉપર જે કોઈને છાતી કાઢીને ચાલવાને અધિકાર હોય તો તે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરનાર ખેડૂતને જ છે,” એ તેમના વચનમાં ખેડૂતને વિષેની તેમની ઊંચી ભાવના અને ખેડૂત વિષેનું તેમનું અભિમાન સૈ કઈ વાંચી શકશે. પણ . એથી જ એ ખેડૂતની જે કરુણ દશા થઈ પડી હતી તે એમને જેટલી ખટકતી હતી તેટલી ભાગ્યે જ કોઈને ખટકતી હાય.