________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ વણિક સત્યાગ્રહીઓ ઉપર નોટિસ પહોંચી છે કે જે તેઓ ૧૨મી એપ્રિલ પહેલાં તેમની નેટિસમાં જણાવેલી જમીનનું મહેસૂલ નહિ ભરી જાય તે તે બધી જમીન ખાલસા થશે. એક વણિક ગૃહસ્થની ઉપર નેટિસમાં ૧૬૦ રૂપિયાના આકારની જમીન બતાવી છે. સરકાર રૂા. ૧૬૦ની જમી લાવત તે આપણને કદાચ બહુ દોષ કાઢવાપણું ન હોત. પણ રૂ. ૧૬૦ને સાર હજાર રૂપિયાની કિંમતની જમીન ખાલસા કરવી એટલે જ નાદીરશાહી. આ રાજનીતિમાં અમુક પ્રસંગોમાં તમાચાને ઉત્તર તમારો નહિ પણ ફાંસી હોય છે. એક રૂપિયાના લેણાને પેટે એક હજાર લેનારને આપણે જાલિમ કહીએ, તેને દશ માથાંવાળો રાવણ કહીએ.
આગળબુદ્ધિ ગણાતા વાણિયા અને જવાબ છેવટે શું આપશે ? પોતાની ભીતા સિદ્ધ કરી બતાવશે કે સત્યાગ્રહી સેનામાં જોડાયાની ગ્યતા સિદ્ધ કરી બતાવશે?
વલ્લભભાઈએ એકવાર નહિ પણ અનેકવાર ચેતવણી આપી છે કે સરકારે જમીન ખાલસા કરવાના, જેલમાં મોકલવા વગેરે અધિકાર કાયદા વડે લઈ રાખ્યા છે, અને એ અધિકારને અમલ કરતાં તે મુદ્દલ અચકાય એવી નથી એમ તેણે અનેકળા સિદ્ધ કરી આપ્યું છે. એટલે ખાલસાની નોટિસથી તેમણે કે બીજા કોઈએ હેબતાઈ જવાનું નથી. તેમણે વિશ્વાસ રાખવાનો છે કે ખાલસા થયેલી જમીન સરકારને નથી પચવાની કે નથી તે જમીન લિલામવેચાણમાં લેનાર કોઈ દ્રોહી નીકળી પડે તો તેની થવાની. આમ લૂટેલી જમીન કાચ પારે છે ને તે ફૂટી નીકળ્યા વિના ન જ રહે
પિતાની ટેકના કરતાં કે આબરૂના કરતાં જમીન વધારે નથી. જમીન નથી તેવા અસંખ્ય મનુષ્ય આ દેશમાં પડ્યા છે. જમીનવાળાની જમીન ગઈ રેલમાં ઘસાઈ ગઈ ને તેની ઉપર રેતીનાં રણ જામ્યાં છે. ગુજરાતીઓ જેમ આસમાનીને ધીરજ ને વીરતાપૂર્વક વશ થયા, તેમ બારડોલીના સત્યાગ્રહીઓ આ સુલતાની રેલને વશ થાઓ ને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરે. ”