________________
विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना । भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ।। ६ ।। અર્થ : અરે ! ગજબ થઈ ગયો, સાંભળો.
કેટલાક માણસો કોઈ ગુરૂ ભોમિયાની સહાય વિના જ સંસારવનને પાર કરવાનું સાહસ કરવા તૈયાર થયા ! ગમે તે રીતે થોડા ધર્મરૂપી ધનની ભિક્ષા મહામુસીબતે મેળવીને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક વિકટ કિલ્લો આવ્યો. એનું નામ હતું લલનાસ્તન. આ બંદાઓ ત્યાં બેઠા ! પણ થોડી જ વાર થઈ ત્યાં તો મહાબળવાન કામ-ભિલ્લ આવ્યો અને એ બધાને સાવ લૂંટી લીધા ! અંગ ઉપર એક ચીંદરડી ય ન રહેવા દીધી ! માટે હે મુસાફરો ! સમજી રાખજો કે આ ભવાટવીમાં કોઈની પણ સહાય વિના જવાનું બિલકુલ ચિત નથી.
(૩૨) દન્તિ જીન્તિ ક્ષળમય = લિન્તિ વહુધા | रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशाः ।
भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ।। २० ।। અર્થ : સંસારમાં ચારે બાજુ રહેલા આ દેહધારીઓ તો જુઓ ! કેટલાક ખડખડાટ હસે છે, આનંદ-પ્રમોદ કરે છે, પણ પળ-બેપળમાં જ તેઓ શી ખબર ! શેંગીયા મોંવાળા થઈ જાય છે ! કેટલાક વળી પોક મૂકીને રડે છે, રાડો પાડે છે અને એકદમ વળી લડવા ય મંડી જાય છે !
કેટલાક નાસભાગ કરતા દેખાય છે, તો કેટલાક અમન-ચમન ઉડાવતા જણાય છે, કેટલાક વળી નાચતાનમાં પલોટાઈ ગયા જણાય છે. ઓહ ! કર્મને પરવશ આ જીવો વિવિધ પ્રકારના મોહના ઉન્માદમાં કેવા ફસડાઈ પડ્યા છે !
(३३) प्रियावाणीवीणाशयनतनुसम्बाधनसुख
भवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् ।
++++++++++++++++++++++++
*Elllllllllllllllll
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧