________________
અર્થ માટે જ આત્માર્થી જીવે, અગણિત અનર્થોના ઉત્પાદક આ દંભનો
ત્યાગ કરી દેવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “આત્મશુદ્ધિ તો સરળ આત્માની જ થાય અને સરળ આત્મામાં જ ધર્મ સ્થિર
થાય છે.” (૨૮) નિનનુક્તિ િિન્નિષિદ્ધ વા ન સર્વથા |
कार्ये भाव्यमदम्भेनेत्येषाऽऽज्ञा पारमेश्वरी ।।२०।। અર્થ : જિનેશ્વર ભગવંતોએ નથી તો કોઈ ધર્મનું એકાંતે વિધાન કર્યું, નથી
તો કોઈ બાબતનો એકાંતે નિષેધ કર્યો ! એ પરમતારકોની તો એ જ આજ્ઞા છે કે વિહિત બધું કરો, નિષિદ્ધ બધું ત્યાગો પણ દંભમુક્ત
બનીને જ. (२९) अध्यात्मरतचित्तानां दम्भः स्वल्पोऽपि नोचितः ।
छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लङ्घयतामिव ।। २१ ।। અર્થ : અધ્યાત્મ-ભાવમાં જેમના ચિત્ત મસ્તાન બની ગયા છે એ
આત્માઓને તો દંભનો લવલેશ પણ સ્પર્શવાનું ઉચિત નથી. રે ! દંભને એ સ્પર્શી શકતાં જ નથી. સમંદરને પાર ઉતરતા મુસાફરોની
હોડીમાં એક નાનકડું પણ છિદ્ર કેમ નભાવી લેવાય? (३०) दम्भलेशोऽपि मल्ल्यादेः स्त्रीत्वानर्थनिबन्धनम् ।
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ।। २२ ।। અર્થ : રે ! આ રહ્યું સાક્ષાત્ દષ્ટાન્ત દંભની જીવલેણ ખતરનાકતાનું !
મલ્લિનાથ ભગવંતનો એક પૂર્વભવ! દંભનો કણિયો જ અડી ગયો હતો ને ? અને તેનું પરિણામ ? ખુદ તીર્થકરના ભવમાં જ સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો ! આ ગંભીર બાબતને લક્ષ્યમાં રાખીને મહાત્માઓએ પોતાના જીવનમાંથી દંભના પાપને દૂર કરવા સતત યત્નશીલ બની રહેવું જોઈએ.
અધિકાર-૪થો (३१) जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि ।
प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૭