________________
રીતે તે કોઈના પણ જીવને દૂભવતા નથી એ બહુ મોટી આનંદની વાત છે.
છાતીમાં ગોળી મારવાને બદલે હવામાં ગોળીબાર કરીને શ્રોતાને ચમકાવવા જેવી આ પદ્ધતિ છે, જે ખૂબ જ અહિંસક હોવાથી અત્યન્ત યોગ્ય છે.
પ્રેરણા-દાન ધર્મકથાઓ સાંભળવાથી શ્રોતાઓને સુંદર જીવન જીવવાની ઘણી બધી પ્રેરણા મળતી હોય છે.
દા.ત. વર્ધમાનકુમારના પિતા અને માતા જુદા જુદા શયનખંડોમાં કાયમ સૂતાં હતા. એટલે જ ત્રિશલાદેવીને જ્યારે મધરાતે ચૌદ સ્વપ્નો આવ્યા ત્યારે તેઓ ઊઠીને સિદ્ધાર્થ રાજાના શયનખંડમાં ગયા અને તેમની સમક્ષ સ્વપ્નવર્ણન કર્યું, વગેરે...
આ પ્રસંગમાંથી માંડવગઢના મ7ીશ્વર પેથડશાના પિતા દેદાશાહને જોરદાર પ્રેરણા મળી અને તેમણે પણ તે વાતનો અમલ શરૂ કરી દીધો.
• મૃત્યુ સમયે એક ધનાઢય શ્રીમંતે પોતાનું એક લાખ રૂપિયાનું નીકળતું લેણું તમામ દેણદારોને બોલાવીને માફ કરી દીધું હતું.
• એક ધર્માત્મા શ્રીમંતે પોતાના શબને બાળવા માટે ઉપયોગમાં લેવાનારા લાકડાં બરોબર પૂંજીને લેવાનું “વીલ'માં લખ્યું હતું.
• સાસરે ગયેલી દીકરીએ પિતાને ઠપકાનો પત્ર લખ્યો કે તેના સાસરામાં દેરાસર જ નથી. પિતાએ પોતાના દસ લાખ રૂપિયા ખર્ચીને ત્યાં શિખરબંધી દેરાસર ઊભું કરી દીધું.
• વિમળમુત્રીએ ગોળ સોનામહોરો જમીન ઉપર પાથરીને આબુના પહાડ ઉપર બ્રાહ્મણો પાસેથી જમીન તો ખરીદી પણ તેને રાતે ઊંઘ ન આવી, કેમકે જેટલી જમીન ઉપર સોનામહોર પાથરવામાં આવે તેટલી જમીન બ્રાહ્મણો આપતા હતા. મત્રીએ વિચાર્યું કે ગોળ સોનામહોરો જમીન ઉપર ગોઠવાય ત્યારે વચ્ચે વચ્ચે થોડીક પણ જગા ખાલી પડી રહે. આ જગા બધું મળીને ઘણી થઈ જાય. આમ ભોળા બ્રાહ્મણો સાથે છેતરપિંડી થઈ કહેવાય.
બીજે દિ મન્ત્રીએ સોનામહોરો ગળાવીને “ચોરસ' પડાવી અને તે પાથરીને તેટલી જમીનની કિંમત ચૂકવી.
• એક ધર્માત્મા ભાઈએ શિક્ષિત અને શ્રીમંત ઘરની કન્યા સાથે વેવિશાળ કર્યા બાદ તેણીને કહ્યું કે, “જયાં સુધી ધર્મગ્રંથોનું અમુક અધ્યયન અને કંઠસ્થીકરણ ન થાય ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહિ
ચાર વર્ષે તે અધ્યયન પૂરું થયું પછી જ લગ્નવિધિ થઈ.
• પોતાના ભાવિ ઘર(સાસરા)માં કોઈ પ્રસંગે જમવા માટે ગયેલી કન્યાએ થાપેલાં છાણાં જોયા. એકાદ તોડ્યું. તેમાં કીડો જોયો. તે ધ્રૂજી ઊઠી, “અનેક જીવોને મારીને શું મારે સંસાર ભોગવવાનો છે? ના, તે નહિ બને !” તેણે સંકલ્પ કર્યો. ઘરે આવીને સંસાર ત્યાગવાનો વિચાર વડીલો સમક્ષ મૂકી દીધો. તેમ જ થયું.
જ્યારે આવા પ્રસંગો શ્રોતાઓ સાંભળતા હોય છે ત્યારે તેમને ખૂબ પ્રેરણા મળે છે. પોતે પણ તેવું કોઈ જીવન જીવવા માટે સંકલ્પ કરે છે, તેનો અમલ પણ કરે છે.
કેટલીક વાર “અવગુણ અંગેનું દૃષ્ટાન્ત સાંભળીને પણ “ગુણ' પામવાની પ્રેરણા મળી જતી હોય છે.
• પૃથ્વીરાજ ચૌહાણની સભામાં એકઠા થયેલા રજપૂત રાજાઓમાંથી કોકે સહજભાવે મૂછે વળ
જૈન મહાભારત ભાગ-૧