________________
યુગાદિદેશના.
" मातुः स्तन्यं रजाक्रीडा, मन्मनावागलज्जता; शैशवे भान्ति निर्हेतु-हास्यं भोगः पितुः श्रियः."
માતાનું સ્તનપાન, ધૂલીક્રીડામન્સન (કાલુકાલુ) બેલવું, લજા (વસ) રહિત રહેવું, કારણ વિના હસવું અને પિતાની લ
ક્ષ્મીને ઉપલેગ કરો એ બધું બાલ્યાવસ્થામાં જ શોભે છે.” વળી કહ્યું છે કે –
" स्वसा पित्रार्जिता लक्ष्मीः, परस्त्री च पराजिता; स्वार्जितैव ततो भोक्तुं, युज्यते महतां ध्रुवम्." પિતાએ ઉપાર્જન કરેલી લક્ષ્મી તે બહેન સમાન છે અને બીજાએ ઉપાર્જન કરેલ લક્ષ્મી તે પરસ્ત્રી સમાન છે; માટે મહત્પર
ને પોતે કમાયેલ ( ઉપાજેલ) લક્ષ્મીજ ભેગવવી ચગ્ય છે.” પોતાને લજજાકારી છતાં તેના આ કટાક્ષ વચનેને દેવદિને હિતકર ગુરૂની શીખામણ તુય માન્યા. પછી હર્ષાકલ થઈને તેણે હૃદયમાં વિચાર્યું કે આ પણાંગનાએ મને ઠીક બોધ કર્યો! લક્ષ્મી મેળવવાને યોગ્ય એવી મારી આ અવસ્થા છેડામાંજ વૃથા ચાલી જાય છે.
- “નાનિતા વિદ્યા, દિતી નાનિત ધનમઃ
तृतीये नार्जितो धर्मः, स तूर्ये किं करिष्यति." બજેણે પ્રથમ વયમાં વિદ્યા મેળવી નહિ, બીજી વયમાં ધન મેળવ્યું નહિ અને ત્રીજી વયમાં ધર્મ કર્યો નહિ, તે ચોથી વયમાં શંકરવાને હતો? 2 પછી તરત જ ઘેર આવીને વિનયથી મસ્તક નમાવી શુભ ઉત્સાહવાળો એ દેવદિન્ન આદરસહિત પિતાને આ પ્રમાણે કહેવા લા:–“હે તાત! કરિયાણાથી વહાણે ભરીને સમુદ્રની પેલે પારના દ્વીપમાં હું લક્ષ્મી મેળવવા જઈશ. માટે મને અનુમતિ આપ.” શ્રેણી લાભને વશ છતાં પુત્રના સ્નેહથી તેને કહેવા લાગ્યા: