Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૯
મહાવીર અને તેમને સમય યોજવામાં આવ્યું હતું. આમ મહાવીરને આજીવક પંથમાં જોડાવાને કાંઈ અર્થ જ ન હતું તેમજ સાલે ખુલ્લી રીતે પિતાના ગુરૂસામે બળવો કર્યો તે પહેલાં અર્થાત્ પિતાને સંપ્રદાય સ્થાપે તે પહેલાં તેવી કેઈ ખાસ જાતિ અતિવમાં હોવાનું અશકય હતું.
એ તે તદ્દન સત્ય વાત છે કે સાલ અને તેના અનુયાયીઓ વિષે જે કાંઈ થોડું ઘણું જાણીએ છીએ તે જૈન અને બૌદ્ધગ્રેને આધારે છે. “તેમનાં નિવેદન અલબત આપણે સંભાળપૂર્વક સ્વીકારીએ; પરંતુ આવશ્યક બાબતમાં બંને એકમત છે એટલે ઘણું ખરું વિકવસનીય છે, કેમ કે તેને આધાર બે સ્વતંત્ર સાધનો છે.”૨ ગમે ત્યાંથી છૂટીછવાઈ બે ચાર બાબતો મેળવ્યાથી એવું સપ્રમાણુ સાધન નથી મળી જતું કે જે આપણને એમ કહેવા પ્રેરે કે “ત્રાણ કેઈ હોય તે તે ખરેખર ગુરુ છે નહિ કે જેનોએ માની લીધેલ ઢોંગી શિષ્ય.” આમ કહેવાનું ખાસ કારણ તે એ છે કે ઉપરોક્ત વ્યાપક અનુમાનનાં સાધન જ તેનાથી વિરુદ્ધ
એક અથવા બીજી રીતે નિર્ણય કરતા પહેલાં પ્રસિદ્ધ ડૉકટરના હિસાબે ટીકાકારને પહેલે મુદ્દો એ વિચારવાનું રહે છે કે “મહાવીર પહેલાં ગેસલના જિનપદ પામ્યાની વાત ભગવતીમાં મેખલીપુત્તના ઈતિહાસથી શંકારહિત સિદ્ધ થઈ શકે છે, અને આમાંની કેટલીક મહત્ત્વની બાબતે કલ્પસૂત્રમાં મહાવીર વિષે આપેલી હકીકતમાં નક્કી થાય છે.”
અમે માનીએ છીએ કે ટીકાકાર સમક્ષ આ બાબત વિચારણા માટે મૂકાઈ નહોતી. અમને લાગે છે કે લેખક આખા બનાવ વિષે ગંભીર ગેરસમજ ઉભી કરવા માગે છે. સૂત્રમાં કઈ પણ જગ્યાએ અથવા આખા જૈન સાહિત્યમાં કયાંય ગેસાલના જિનપદ પામ્યાનો ઉલ્લેખ નથી. જે કહેવામાં આવ્યું છે તે એ છે કે ગેસલ પિતાની મેળે જ સ્વમાનિત જિન અથવા તીર્થકર બની બેઠે. “બુદ્ધ એના ઉપર અબ્રહ્મચર્યનો આરોપ મૂકે છે.૫ મહાવીરનું કથન પણ એટલું જ ભારપૂર્વક છે. સૂત્રકતાંગમાં મહાવીરના શિષ્ય આક અને ગેસાલ વચ્ચે થયેલ સંવાદમાં ગોસાલે એમ કહ્યું કહેવાય છે કે “અમારા નિયમ પ્રમાણે કઈ પણ સાધુ...પાપ કરતો નથી... સ્ત્રી સાથે સંગ કરે છે.”૬ તે પિતાના અનુયાયીઓને સ્ત્રીઓના ગુલામ તરીકે સંબોધે છે
1. "It is clear that in the mouth of the Buddhists, "Ajīvika' was the term of reproach applicable to a Masharin or Eka-dandin of the baser sort."--Hoernle, op. cit., p. 260.
2. Ibid., p. 261. 3. Barua, o9. cid., p. 18.
4. મન નિrgવી . . . કાવી પિઢાવી . . . વિદર -Ehagavati-Sitra (Ágamodaya Samiti), xv., p. 659. Cf. Avaśyaka-Sutra, p. 214; Charpentier, op. cit., p. 159,
5. C. Hoernle, op. cit., p. 261. 6. Jacobi, S B. E., xly., p. 411.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org