Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 193
________________ ૧૪ર. ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ભીંત પર દેવી વિના નાગની સાત ફણોના ફટટેપવાળી પાર્શ્વનાથની ઉભી પ્રતિમા છે. શાસનદેવી અને લાંછનવાળી તીર્થંકરની દરેક પ્રતિમા સરખી અર્થાત્ ૮ થી ૯ ઇંચની છે, જ્યારે પાર્શ્વનાથની પ્રતિમા ૩૧ ઈંચની છે જે તેમના પ્રતિના અપ્રતિમ માનનું સૂચક છે.' આની સાથે દક્ષિણે ત્રિશૂલ ગુફા છે, તેની પરસાળની ભીંત પરનું તરકામ સારું નથી અને તેની અંદરના ભાગની બેઠક એ ખાસ બાબત છે. તે બેઠક ઉપર સાતફણ પાર્શ્વનાથ અને મહાવીર આદિ ચોવીસ તીર્થકરેની હારમાળા આવેલી છે. આ હારમાળામાં પણ પાર્શ્વનાથને ત્રેવીસમાં તીર્થકર તરીકે મહાવીરના પહેલાં બેસાડવાના બદલે પાછળની ભીતની મધ્યમાં બેસાડી તેમને ખાસ મહત્ત્વ અપાયું છે. પંદરમાં તીર્થકરની પ્રતિમાને નીચેને ભાગ પગથીપર કરેલી બેઠકથી ઢંકાઈ ગયા છે જે બેઠક પર સુંદર કતરેલી ત્રણ આદિનાથની પ્રતિમાઓ છે. આ હારમાળાની પ્રતિમાની રચના બાજુની ગુફા કરતાં વધારે સૂમ છે. - નવમુનિ ગુફાની લગભગ તારીખનો લાલતેંડુ-કેશરિની ગુફા યા સિંહદ્વાર પર ઉતકેશરિને લેખ મળે છે. જીલ્લાગેઝેટિયર અનુસાર એ નરપતિ લાલતેંડુ-કેશરિપરથી નામાભિધાન પામેલ બે માળની ગુફા છે, જેના પહેલા માળના ઓરડામાં તીર્થકરેની પ્રતિમાઓ કરેલી છે જેમાં પાર્શ્વનાથ મુખ્ય છે. ગુફાના તળિયાથી ૩૦ થી ૪૦ ફુટ ઉંચે તેની પાછળની ભીંતે દિગંબરપંથની પ્રતિમાઓની હારમાળાની ઉપર તે કતરેલી છે.* લેખની બરાબર રક્ષા ન થવાથી તેની છેલ્લી લીટીના થોડાક શબ્દો તૂટેલો છે, જેમ છે તે પ્રમાણે તે જણાવે છે કે “પ્રખ્યાત ઉકેશરિના વિજયી રાજ્યના પાંચમા વર્ષમાં પ્રખ્યાત કુમાર પર્વત પર જીર્ણ તળાવ તથા મંદિરનો પુનરુદ્વાર થયું હતું અને ત્યાં જ વીસ તીર્થકરોની પ્રતિમાઓ બેસાડી હતી. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરતી વખતે......... જસનંદિ..............” લેખમાં દર્શાવ્યા મુજબ ઉતકેશરિ કાંતે જૈન સંપ્રદાયને હોય કે તેને રક્ષક હોય. ઐતિહાસિક શાળાના આધારે આ લેખના ઉતકેશરિને કેઈપણ ઐતિહાસિક 1. B.D.G.P., op. and loc. cit. 2. Ibid. 3. Ibid. CJ. Chakravarti (Mon Mohan), op. cit., p. 19. 4. It may be that at the time of Khāravela the great schism, which was followed by the division of the Jaina community into the Digambaras and Śvetāmbaras, had not fully manifested itself, but, as we have seen before, in later history the former were predominant in the south. This is clear from the Jaina caves at Ellora, Badami and such other places. 5. We learn from line two of the inscription that the ancient name of Khandagiri is Kumāraparvata. The Häthigumphā inscription of Khāravela mentions Kumāraparvata as the ancient name of Udayagiri. The twin hills seem to have been known as the Kumāra-Kumāri. parvata up to the tenth or eleventh century A. D. 6. E, I, xii., p. 167. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342