Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૯૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
ઉદ્યતનસૂરિના આ પ્રાસ્તાવિક ક્ષેક જૈન સમાજ અને હિંદી ઈતિહાસ એ બે દષ્ટિએ અગત્યના છે. ત્રીજા લેકમાં નિશેલ રાજા તેરાય યા તેરમાણ તે હણના પ્રખ્યાત સરદાર સિવાય અન્ય કેઈનથી, કે જેની સરદારી નીચે વાયવ્ય ઘાટમાં થઈ હૂણોનાં ટોળાં ઉત્તર હિંદમાં પ્રલયની માફક ફરી વળ્યાં હતાં. આ તરરાયને તેરમાણ ગણવામાં ઐતિહાસિક ભૂલ પણ નથી કેમકે હિંદી તવારીખમાં પૃથ્વીકતા તરમાણ એક જ છે. તે તે સમયની એક પ્રખ્યાત વ્યક્તિ છે કે જે આગળ જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યને અંત લાવવામાં કારણભૂત એવાં હૂણ ટેળાઓને પ્રેરક હતું. તે તેના અનુયાયીઓ સાથે મધ્ય એશિયા છોડી હિંદમાં પ્રવેશે અને પંજાબ તથા દિલ્લી જીતી મધ્ય હિંદમાં માળવા સુધી ઘ. વિન્સન્ટ સ્મિથના શબ્દોમાં “હિંદપરના આ વર્ષો સુધી ચાલેલા હુમલાને તેરમાણુ નામે નેતા સરદાર હતો કે જે ઈ. સ. ૫૦૦ લગભગ માળવાને સત્તાધીશ બન્યો હતો એમ મનાય છે. હિંદી પદ્ધતિ અનુસાર તેણે મહારાજાધિરાજ પદ ગ્રહણ કર્યું હતું અને વલ્લભીને રાજા તથા ભાનુગુપ્ત આદિ અન્ય રાજાઓને પિતાના ખંડિયા રાજા બનાવ્યા હશે.”
સ્વાભાવિક રીતે આ હણાધિપતિ જે મધ્ય એશિયાના આને સરદાર હતે તેણે હિંદની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં અનેક પરિવર્તન કર્યા હશે. જો કે તેની સત્તાને સમય ટૂંકે હવે તે પણ ઈ. સ. છઠ્ઠા સૈકાના પ્રથમ દશકામાં તે વિદેહ થયે ત્યારે તેણે જીતેલ હિંદના ભાગે એટલા વ્યવસ્થિત હતા કે તેના પુત્ર અને વારસ મહાવીર મિહિરકુલને તે રાજ્ય મળ્યું. આમ છતાંય પુરાતત્ત્વવિદેને તેની રાજધાની વિષે કાંઈ માહિતી નથી. જુદાં જુદાં સાધનથી માત્ર એટલું જાણી શકીએ છીએ કે સાકુલ-આજનું શિયાળકેટ એ તેના વારસ મિહિરકુલની રાજધાની હતી. તે પણ કુવલયમાલાના આધારે ચંદ્રભાગા-આજની ચિનાબ નદીના કાંઠા પરનું પવઈયા શહેર એ તેની રાજધાની હતી.
આ પવઈયા કે જેનું સંસ્કૃત રૂપ પાવંતિકા યા પાર્વતી છે તેનું ઉત્તર હિંદમાં સ્થાન નકકી કરવું મુશ્કેલ છે. તેમ છતાંય યુયાનાંગની હિંદની મુસાફરીમાં મી-લે-સાન-પુલુ અર્થાત મુલતાનથી ઉત્તર-પૂર્વ ૭૦૦ લી. દૂર તે પિફાટે દેશમાં ગયાનું જણાવે છે. બૅટર્સ કહે છે કે “આ પ-ફ—ટે તે પિલા-ફા–ટે યા પર્વત છે.” આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ ખરા કે ચીનાઈ મુસાફરનું પર્વત શહેર તે તેરમાની રાજધાની
1. The Hūnas were a tribe of Aryans in Central Asia. They shattered the Gupta Empire, and dominated a large part of it for a short period. The dominion of the Hūnas did not long survive the defeat and death of Mihirakula, the son and successor of Toramāņa, and this can be put down approximately in the middle of the sixth century A.D. For further information about the Hüņas see Ojha, History of Rajputana, i., pp. 53 ff., 126 ff.
2. Smith, op. cit., p. 335. C. Barnett, op. cit., p. 49. 3. Cf. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 128. 4. CJ. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 129; Barnett, op. cit., p. 50. 5. CJ. Watters, Yuan Chwang's Travels in India, ii., p. 255; Beal, Si-Yu-Ki, ii., p. 275 6. Watters, op. and loc. cit. Cf. Beal, op. and loc. cit.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org