Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 246
________________ ગુપ્તકાળમાં જૈનધર્મ ૧૯૧ પવઈયા હશે? તેમ છતાં આ વિષય પરત્વે વિદ્વર્ગમાં મૌકય નથી. આપણા હેતુ માટે એટલું જ બસ છે કે જેના મતે તેરમાણની રાજધાની પવઈ હતી કે જેનું ઉત્તર હિંદમાં સ્થાન નક્કી કરવાનું ઉભું રહે છે. આપણો અગત્યને મુદ્દો એ છે કે એક આચાર્ય હરિગુણ મહાન તરમાણના ગુરુ હતા. કુવલયમાલાની આ નેધ ખરેખર લાક્ષણિક છે. અહીં સુધી તે ગુપ્તકાળના જૈનોની સ્થિતિ સમજવા આપણે જોઈ ગયા તે શિલાલેખ સિવાય અન્ય કોઈ સાધન નથી. તોરમાણ જેવા પરદેશી વિજેતાના જૈન આચાર્ય ગુરુ હતા એ જૈન ઇતિહાસિને માટે ઓછા મુદ્દાની હકીકત નથી. તે ગમે તેટલી નજીવી લાગે તો પણ તેથી આપણે એમ તો ધારી શકીએ કે શશુનાગ, નંદ અને મર્યકાળની માફક હિંદી ઇતિહાસના આ સુવર્ણયુગમાં પણ જૈન સાધુઓ રાજગુરુપદે હતા. મહાન આચાર્ય હરિગુપ્તને વિચાર કરતાં લાગે છે કે તે તે સમયના એક મહાન નર હોવા જોઈએ તે ગુપ્તવંશના હતા એ તો આપણે જોયું છે. તે ગુપ્ત નામના સામાન્ય કે રાજકુળમાં જન્મ્યા હતા તે અનુમાન કરવું કઠણ છે. એ કંઈપણ પુરા નથી કે જેને આધારે આપણે આવું કંઈ ખાતરીપૂર્વક કહી શકીએ. તેમ છતાં જિનવિજયજીનાર મતે જેના સાધુવર્ગની એક સામાન્ય પ્રથા એ છે કે મહાન કુલ કે વંશની કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પિતાની સાંપ્રદાયિક મહત્તા માટે તેની કાળજીપૂર્વક નોંધ રખાય છે. ઘણું ખરું સાધુઓ સંઘ સમક્ષ ઉપદેશ આપતાં પિતાના વર્ગના ઈતિહાસની આવી બાબતેને ઉલ્લેખ કરે છે અને શ્રોતાજનોને મહાવીરના ધર્મ તથા અનુયાયીઓની મહત્તાનું ભાન કરાવે છે. આમ આ પરથી આપણે અનુમાન કરીએ કે હરિગુપ્ત વંશ કે જેને વિષે તોરમાણ અને તેના ગુરુ પછી ત્રણ સૈકા બાદ થયેલ ઉદ્યતનસૂરિએ નેધ કરેલ છે તે એક બળવાન અને માનવંત કુળ દેવું જોઈએ, તે તેમાં કંઈ વધારા પડતું યા ઐતિહાસિક દ્રષ્ટિએ અછાજતું નથી. આ ઉપરાંત હરિગુપ્તને હૃણ સમ્રાટ સાથે સંબંધ પણ તે કલ્પનાને ટેકે આપે છે. ગુપ્તના રાજકુટુંબની વ્યક્તિ એક જૈન સાધુ હોય એ પ્રથમ નજરે જોતાં કાંઈક વિચિત્ર અને અવિશ્વસનીય જણાય છે, છતાં તેમ સમજવાનું કંઈ કારણ નથી. વિશેષમાં ઉદ્યતન સૂરિના એજ પ્રાસ્તાવિક કલેકે સૂચવે છે કે હરિગુપ્તને શિષ્ય મહાકવિ દેવગુપ્ત હતું. તે દેવગુપ્તને સૂરિએ આગળ પ્રસ્તાવનામાં રાજર્ષિ કહ્યો છે. આથી એ સ્પષ્ટ છે કે દેવગુપ્ત એ 1. According to Vincent Smith Po-fa to ( Parvata ) indicates the reign of Jamū (Jammoo), in the south of Kashmir state as at present constituted. cf. Watters, op. cit., p. 342. Cunningham identifies Po-la-fa-to with Shorkot, though he believes that the position directed by the traveller agrees with the site of Jhang, on the Chenab. Cunningham, Ancient Geography of India, pp. 233-234. In the opinion of Dr Fleet, Po-fa-to cannot be anything else but the ancient place of Harappā.--Fleet, J.R.A.S., 1907, p. 650. 2. Jinavijaya, op. cit., p. 183. 3. F THE gaat ja Tarot grafreit-Chaturavijaya, Kwalayanālā-Katha (Jaina Ātmananda Sablia), Int., p. 6. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342