Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૦૭ જેનું બારણું અંગ આજે હસ્તીમાં નથી. ચૌદ પૂર્વો કે જે અંગ સાહિત્યથી સ્વતંત્ર રીતે જુદાં અસ્તિત્વ ધરાવતાં બંધ થયાં ત્યારે તેને સમાવેશ બારમા અંગમાં કરવામાં આવ્યું હતું તે બારમું અંગ વિચ્છેદ ગયું છે. દૃષ્ટિવાદના વિચ્છેદને અંગે એક પ્રશ્ન વિચારવા જેવું છે. યુરોપના જૈન સાહિત્યના પ્રખ્યાત અભ્યાસીઓ માને છે કે તેમના પવિત્ર સાહિત્યમાં સૌથી વધારે ને અને પવિત્ર ભાગ વિરછેદ ગયે તેનું ખાત્રીલાયક કાંઈ કારણ જેને પણ આપતા નથી તેથી આ સંબંધમાં તેમના અનેક મતે તેમણે દર્શાવ્યા છે. આ અભ્યાસીઓના કેટલાક મતની નેંધ લઈએ. વેબર માને છે કે દૃષ્ટિવાદ ધાર્મિક સિદ્ધાંતના મૂળતને બંધબેસતો ન જણાયાથી જેનેએ પિતે તેને ઈરાદાપૂર્વક ત્યાગ કર્યો હતો. યાકેબીના મતે દષ્ટિવાદ વિરછેદ ગયે કેમકે તેમાં મહાવીર અને તેમના પ્રતિસ્પર્ધીઓના પ્રવાહ (સંવાદ-ચર્ચા) હતા કે જેમાં કમશઃ રસ ઓછો થત ગયે અને છેવટે જૈનેને પિતાને પણ તે સમગ્ર સમજવું કઠણ થઈ પડયું. છેલ્લે લૉયમન દૃષ્ટિવાદના વિચ્છેદનું તદ્દન જુદું જ કારણ આપે છે. તેમના મતે આ અંગમાં મંત્ર તંત્ર વિદ્યા, ઈદ્રજાળ, જ્યોતિષ અદિ સમાયાં હશે અને તેના વિરછેદનું આ સાચું કારણ હશેજ
જૈનના બારમા અંગેના વિચ્છેદનાં આ બધાં કારણેમાં એક ખામી સામાન્ય જણાય છે તે એ કે દૃષ્ટિવાદ (“અર્થાત્ પૂ–જે એક જ મનાય છે” ૫) જેનેએ ત્યજી દીધું છે. જૈનેની દંતકથાના આધારે તે ખાસ કરીને આ વધારે વિચિત્ર લાગે છે, કારણ કે તેઓ માને છે કે પૂર્વે ધીમે ધીમે વિરે છેદ ગયાં, અને તે પણ મહાવીરના નિર્વાણથી ૧૦૦૦ વર્ષે, એટલે કે સિદ્ધાંત પુસ્તકારૂઢ થયાં તે સમયે પૂર્વે સંપૂર્ણ વિશ્લે ગયાં હતાં. ગમે તેટલા ઓછા અંશે આ નેંધ સ્વીકારીએ તે પણ ડો. શાપેન્ટિયરની સાથે અમારા મતે “આ આખીય ધની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.”
અંગોના ક્રમાંક સાથે સંબંધ ધરાવતે સિદ્ધાંતને બીજો વિભાગ બાર ઉપાંગોનો છે. વેબર અને અન્ય વિદ્વાનોના મતે “અંગ અને ઉપાંગના કમને પરસ્પર સાચે આંતરિક સંબંધ હોવાને પુરાવો મળતા નથી.” પહેલાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ઉપગ ઔપપાતિ
1. The fourteen Purvas were included as the third great subdivision of the twelfth Arga. C. Weber, op. cit., p. 174.
2. CJ. Weber, I.A, xvii, p. 286. 3. Cf. Jacobi, S.B.E., xxji., Int., pp. xlv ff.
4."... des Ditthivāya eine ganz analoge tantra-artige Texpartie gestanden hat, sondern, lässt damit zugleich auch errathen, warum der Ditthivāya veloran gegangen ist. "-Leumann. " Beziehungen der Jaina Literatur zu Andern Literaturkreisen Indiens," Actes du Congress à Leide, 1883, p. 559.
5. Charpentier, op. cit., Int., pp. 22-23.“ Tradition indeed appears to regard the Purvas as identical with the Ditļhivāya." --Weber, 1.A., XX., p. 170.
6. Cf. Charpentier, op. cit., Int., p. 23. 7. Weber, op. cit., p. 366. Cf. Winternitz, op. and loc. cit.,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org