Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૬૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ નથી, તે ચૈત્યને ઉદ્ધારક છે, તે સર્વ જાતિઓને માન આપતે અને તે ખાસ લક્ષણેગુણ માટે પ્રખ્યાત હતો.......૧
- અહીં ભિક્ષુરાજ ખારવેલ-કલિંગ સમ્રાટ અને જૈન સંપ્રદાયના તારણહાર રાજાની પિતે લખાવેલ આત્મકથાનો અંત આવે છે. પ્રથમ લીટીમાં કરેલ અહંત અને સિદ્ધનું મંગલ, જૈન શ્રમણ માટે બંધાવેલ મંદિર અને ગુફાઓ, યાપ અધ્યાપકોને જમીન તથા અન્ય જરૂરિયાતનાં દાને, રાજા નંદે ખૂંચવી લીધેલ કલિંગ-જિનની પ્રતિમાની પુનઃપ્રાપ્તિ આદિ પ્રતીતિ કરાવે છે કે તે જેન હતે. ઈ. સ. પૂર્વે ૧૮૩ માં વીસ વર્ષની ઉમરે ગાદી પર બેસી તેણે બત્રીસ વર્ષની વયે મગધની પ્રથમ અને છત્રીસ વર્ષની વયે બીજી ચઢાઈ કરી. મિ. જાયસવાલના મતે તે ઈ.સ. પૂર્વે ૧૫રમાં વિદેહ થયો.
તે એક સામ્રાજ્ય સ્વામી હતા, જેના વંશ વિશે આપણે કાંઈ જાણતા નથી, જેના જીવન વિષે આ શિલાલેખ કે જેના ઉપર કાળની અસર થયા સિવાય રહી નથી. તે સિવાય કાંઈપણ અન્ય સાધન નથી. અહીં ઉમેરવું જોઈએ કે કેઈક દિવસ કેક અભ્યાસીને આ ઉપરાંત રાજર્ષિ વંશમાં જન્મેલ ધર્મરાજના જીવન વિષે વધારે સારાં અને વિશ્વસનીય સાધને મળી જાય તે તે નવાઈ જેવું નહિ ગણાય. જેને ફાળે જૈન ઇતિહાસમાં અદ્વિતીય છે તેના વિષે જેને પાસે કાંઈ નથી તે પણ નવાઈ જેવું છે અને તે ન માની શકાય તેવું છે.
ખારવેલના સામ્રાજ્યની હદ અને તેને રાજ્યારેહણ પછીની તેની તે વિષે તે સમયની સમસમી એતિહાસિક કે બીજી કાંઈ વિશ્વસ્ત નેંધ નથી. આ તે દુનિયા પારના અવાજ જેવું છે, જે સૂચવે છે કે જાના વખતમાં કલિંગમાં ખારવેલ નામે રાજા હતો તેને તમારે સ્વીકારી લેવું અને તેના સમૃતિચિન્હ રૂપે હાથીગુંફાન શિલાલેખની મળતી માહિતીના આધારે તેની સમસમી ઐતિહાસિક વ્યક્તિઓ સાથે એને સમજી લે.
શિલાલેખ સૂચવે છે કે તેણે ઉત્તરમાં મહાન સંગ રાજા પુષ્યમિત્રને હરાવે, જે સમાચાર સાંભળી ઈન્ડો-ગ્રીક રાજા ડિમેટિયસ મથુરા છોડી પાછો વળે; તેણે દક્ષિણમાં સાતકણિ અને તેના ખંડિયા રાજાઓને વશ કર્યા અને તેના આ વિયેની કથા સુણી દક્ષિણતના પાંડ્ય રાજાએ તેના પર ભેટે મેકલી.
સરખામણીના સાધનના અભાવે આ લેખની કઈ વસ્તુ સ્વીકારવી અને કઈ વસ્તુ કઈ રીતે સમજવી તેમાં મુશ્કેલી છે. તે ઉપરાંત લશ્કરી કૂચ એ તે સમયની સામાજિક રૂઢિ, લડાઈએ ધંધે, લડે તે ભાયાત અને વિશેષમાં પ્રદેશ વિસ્તાર એ રાજલક્ષણ ગણાતું
1. હેમરાના સ વઢTગી . સામવંત વાનિ . . . સવ - વાસંઃ - ગૂગલ . . . વાવેતર. –J.B.O R.s, iv, p. 403, and xiii.. p236.
2. Ibid, p. 243.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org