Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 192
________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૧ મી. ગંગુલીની ટીકા ઉમેરી વિરમીશું કે “ગુફાઓ દેખાવમાં સાદી છતાં ભવ્ય છે અને ભૂતકાળના એના રહેવાસીઓના જીવનને બંધબેસતી છે.” ખંડગિરિ ગુફાઓમાં સત્વર અથવા સબંખ, નવમુનિ અને અનંત એ ત્રણ અગત્યની છે; તેમાંની પ્રથમ બે પર સ્પષ્ટ જૈન ચિહે છે જ્યારે છેલ્લી પર બૌદ્ધ ચિન્હો છે, કારણ કે પાછલી ભીંતપર સ્વસ્તિક અને ત્રિશૂળ ચિતરેલાં છે. જો કે પહેલા વસ્તિકની નીચે એક નાની ઉભી ખંડિત પ્રતિમા છે જે જીલ્લાગેઝેટિયર પ્રમાણે જેના વિશમાં તીર્થકર પાર્શ્વનાથને મળતી આવે છે. તે ગુફાની હદ ટેકરીના ઉત્તર તરફના ભાગથી સરખી કરી લેવામાં આવી છે, જેમાં જૈન સાધુઓ તથા તીર્થંકરની પ્રતિમાઓ છે; તે ઉપરાંત કેતરકામની દરેક કમાન નાગની બે ફણોની વચ્ચે આવે છે જે પાર્શ્વનાથનું લાંછન મનાય છે. બાજુની ભીંત તથા કમાન વચ્ચેની જગ્યા પિતાના હાથમાં અર્થ લઈ જતા વિદ્યાધરેથી પૂરાઈ છે. સલ્તર ગુફા દક્ષિણ બાજુના અંદરના ખંડમાં કોતરેલી છે, જેમાં લાંછન સહિત તીર્થ કરેની આકૃતિઓ છે, જ્યારે નવમુનિ યા નવસંતની ગુફા એક સળંગ પરસાળવાળી, પરંતુ બે ખંડની એક સાદી ગુફા છે. એક ફુટ ઉંચી અને સાદા કેતરકામવાળી શાસન દેવી સહિત દશ તીર્થકરની પ્રતિમાઓ તેમાં છે. પાર્શ્વનાથ તે નાગની ફણાને લઈ તરત ઓળખી શકાય છે, તે વધારે પૂજ્ય ગણાવ્યા છે કારણ કે તેમની પ્રતિમા બે વાર કેતરાએલી છે." આ ઉપરાંત આ ગુફામાં બે પ્રખ્યાત શિલાલેખો છે. તેમાંનો એક પ્રખ્યાત ઉદ્યોતકેશરિદેવના પ્રગતિમાન અને વિજયી રાજકાળના અઢારમા વર્ષને છે.”૬ બેય શિલાલેખ “આર્યસંઘના ગ્રહકુળના દેશીગણ શાખાના આચાર્ય કુલચંદ્રના શિષ્ય શુભચંદ્રનું નામ ધરાવે છે, બન્ને શિલાલેખ એકજ તારીખના અર્થાત્ ઈ. સ. દશમાં સેકા લગભગના હવા સંભવ છે. આ ગુફાની પેલીમેર બારભુજી અર્થાત્ બાર હાથવાળી ગુફા આવે છે, તે ગુફામાં પરસાળની ડાબીબાજુ બાર હાથવાળી એક સ્ત્રીની પ્રતિકૃતિ છે. નવમુની ગુફાની માફક આમાં પણ શાસનદેવી સહિત પદ્માસને બેઠેલ તીર્થકરની પ્રતિમાઓ છે અને પાછલી 1. Ganguly, op. cit., p. 34. 2. Cf. Chakravarti (Mohn Mohan), Notes on the Remains in Dhauli and in the Caves of Udayagiri and Khandagri, p. 8. 3. B.D.G.P, p. 263. 4. The sculptures are the Jaina Tirthankaras with all their Sāsana-devis and do not resemble Bauddha symbols as believed by the editor of The Archacological Survey Report, xii, p. 81. 5. B.D.G.P, p. 262. 6. EI, xii., p. 166. 7. Ibid. 8. Ganguly, op. cit., p. 60. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342