Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૬૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ હોવું જોઈએ તે વાતને ટેકો આપે છે. આ ત્રણે અનુમાનોની ચર્ચા આપણે કરી ગયા છીએ.
હવે પછીની લીટીમાં રાજકીય નેંધ છે કે હિંદના દક્ષિણમાંથી તેના વિએ ખંડણી મેળવી. શરૂઆતમાં ખારવેલે બંધાવેલ સુંદર અને કોતરણીવાળા મિનારાનું વર્ણન કરી (સિલેન સામેના દક્ષિણાંત) પાંડ્ય દેશના રાજા પાસેથી ભવ્ય હાથીઓ, મનપસંદ ઘોડા, વૈર્ય અને અનેક કિંમતી રત્ન મેળવ્યાને ઉલેખ છે.
અહીં કિલિંગ સમ્રાટે પાંડ્ય દેશપર ચઢાઈ કર્યાને ઉલ્લેખ નથી. ખારવેલની મહત્તા તથા આંધ્ર અને સંગ રાજાઓ પરની તેની છત દેખી પાંવ્યોએ આ ભેટ મોકલી હશે. ખારવેલના આ શૌર્ય ઉપરાંત શિલાલેખમાં તેનાં પવિત્ર કાર્યોની નેંધ છે. રાજા અને તેનું કુટુંબ જૈનધર્મી હોવાના પુરાવા અનેક છે અને તેના વંશજો પણ દેખીતી રીતે તેજ ધર્મના હશે.'
ચૌદમી લીટીથી અંત સુધીમાં દેખાય છે કે ખારવેલ માત્ર નામ-જૈન નહિ, પરંતુ ભાવ-જૈન હતે અર્થાત્ તેણે ધર્મ જીવનમાં ઉતાર્યો હતે. તેના રાજ્યકાળના તેરમાં વર્ષમાં રાજ્યવિસ્તારથી સંતોષ પામી તેણે પિતાની શક્તિ ધાર્મિક કાર્યોમાં ખચ એમ તેમાં વર્ણન છે. કુમારી ટેકરી પરનાં પવિત્ર સ્થળ ઉપર તે મોટી રકમ ખર્ચે છે અને વિજયી શિલાલેખ તૈયાર કરાવે છે. જ્યાં “વિજેતાના ચક૬ બરાબર જામ્યાં હતાં તે પવિત્ર કુમારી ટેકરી પર રહી જેમણે પિતાના વ્રત શુદ્ધ રીતે પાળી તપ કરી જન્મમરણ દૂર કર્યા છે એવા યાપ અધ્યાપકેના સ્તૂપે જાળવવા રાજ્યમાંથી ખર્ચ કરતે. તે જણાવે છે કે ખારવેલે ગૃહસ્થનાં વ્રત પાળી જીવ અને દેહને ભેદ સમજી તેની સુંદરતા અનુભવી.
ખારવેલની જૈનધર્મ પ્રતિની દઢતા અને આસ્તિકતા માટે આથી શું વધારે પુરા હોય? થાપ અધ્યાપકો અને બીજાઓ જે વ્રતે આચરતા તેમને અપાતી ભેટે અને જૈન દર્શન મુજબ જીવ અને દેહને અભ્યાસ એમ સૂચવે છે કે તે ધર્મધ ન હતે.
1. J.B.O.R.S, xiii., pp. 245, 246.
2. The Ceylonese constructed ships expressly for the export of their elephants. It seems these were of the class of the “ elephant-ship” of the inscription
3. तु जठर-लिखिल वरानि सिहिरानि नीवेसयति . . . पंडराजा चेदानि अनेकानि मुतमणिरतनानि -J.B.O.R.S., iv, p. 401, and xiii., p. 233.
4. B.D.G.P, p. 24. 5. It was sacred as the place where Jainism was preached (line 14).
6. The perfect ideal Jaina ascetics, who are believed to have freed themselves by means of austerities. This is much idealised in Jaina philosophy.
7. This suggests that amongst the Jainas also Cakra symbolised the spread of conquest of religion. This is confirmed by the representation of the wheel found at the Jaina Stupa of Mathura.
8. તેરસને વણે મુઘવત - વિનય - વ માપવતે મરતે • જવળ - સંસદ દાય . . . Íવ . ૪ . સિરિણા પવિતા-J.B,C.RS, iv, pp. 401, 402, and xiii., p. 233.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org