Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 188
________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૩૯ શહેનશાહત ડેલી ઉઠી અને અશોકના બદ્ધ ધર્મ સામે બ્રાહ્મણ ધર્મના ખાસ રક્ષક મનાતા રાજપુરેહિત પુષ્યમિત્રના હાથમાં રાજ્યસત્તા આવતાં તેણે તેના પર ફટકે લગા. તે પણ પિતાને અમલ નિષ્કટક ન ચલાવી શકે. મૌર્ય શહેનશાહત અસ્ત થતાંની સાથે દક્ષિણમાં મહાન આંધ્રુકુળ તથા પૂર્વ-દક્ષિણ પ્રદેશમાં મહામેઘવાહન ખારવેલનું પ્રભાવશાળી ચેદિકુળ જેરમાં આવ્યું. આ ચેદિકુળ ઉત્તરમાં જમાવેલ બ્રાહ્મણધર્મ પર પ્રત્યાઘાત કરનાર નીવડ્યું. આમ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મો કાલિંગમાં હતા, જેમાં જૈનધર્મ એ રાજધર્મ હતો. હ્યુએન્સગ જેણે ઈ. સ. ૬૨૯ થી ૬૪૫ માં કલિંગની મુલાકાત લીધી હતી તે ચીની મુસાફર ત્યાંની જેનેની મોટી સંખ્યાનો પુરા આપે છે અને તેને જૈનેના મહાન મથક તરીકે રજૂ કરે છે તે જણાવે છે કે ત્યાં “ઘણું પ્રકારના અનેક નાસ્તિક હતા, જેમાં નિચે તે મોટી સંખ્યામાં હતા.” - માતૃભૂમિ મગધમાંથી દક્ષિણપૂર્વ તરફ કલિંગસુધી થયેલી જૈનધર્મની આ સ્પષ્ટ પ્રગતિ છે. ઓરિસાના સમ્રાટ ખારવેલ અને તેની સમ્રાજ્ઞીના ખંડગિરિ પરના બે શિલાલેખ જેની આ પ્રગતિનો ખ્યાલ આપે છે અને તે ઐતિહાસિક સત્ય આપણું સન્મુખ મૂકે છે. ઈ. સ. પૂર્વે બીજા સેકાના મધ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૮૩ થી ૧૫ર તે હિંદના પૂર્વ કાંઠા પર રાજ્ય કરતો હતો. ઉદયગિરિ અને ખેડગિરિની બીજી ગુફાઓ તેમજ ત્યાંના જીર્ણશીર્ણ મંદિરે પણ આની સાક્ષી પૂરે છે. આ બન્ને ટેકરીઓ ભુવનેશ્વરની ઉત્તર પશ્ચિમે પાંચ માઈલ દૂર છે અને એ બન્ને તે ફાટથી જુદી પડે છે જે ફાટ ભુવનેશ્વરથી ત્યાં પહોંચવાના રસ્તાની હારમાં ચાલી જાય છે. આ ઉપરાંત તે ટેકરીઓ પર રહેતી અનેક જાતે, જે હલકી જ્ઞાતિઓમાં આજે ઉતરતું સ્થાન ભેગવે છે તેમનાં નામે જૈનોના પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથ અંગ અને ઉપાંગમાં મળે છે, જ્યાં તેમની ભાષા મ્યુચ્છ ગણાવી છે.પ ખારવેલ શિલાલેખ પહેલે અને સૌથી મોટો છે, જે જૈન પદ્ધતિ અનુસાર મંગલથી શરૂ થાય છે. છેલ્લા તીર્થકર મહાવીરના નિર્વાણ પછી એ વષ એરિયામાં જૈન ધર્મ દાખલ થશે અને તે પછી તે રાજધર્મ બળે તે આ સાધન સાબીત કરે છે. સ્વર્ગપુરી પર બીજો લેખ સાબીત કરે છે કે ખારવેલની પટરાણીએ કાલગના શ્રમણ માટે એક મંદિર અને ગુફા બંધાવી હતી. 1. Mazumdar, Hindu History, p. 636 (2nd ed.). 2. C.H., i, pp. 518, 534. 3, Bea, Si Yu Ki, if, p. 208. 4. J.B.O.R.S, xiii., p. 244. 5. They have been identified with Suari of Pliny and Sabarai of Ptolemy. For the reference of the Jaina literature see Weber, I.A., xix., pp. 65, 69; XX., pp. 25, 368, 374. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342