SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૩૯ શહેનશાહત ડેલી ઉઠી અને અશોકના બદ્ધ ધર્મ સામે બ્રાહ્મણ ધર્મના ખાસ રક્ષક મનાતા રાજપુરેહિત પુષ્યમિત્રના હાથમાં રાજ્યસત્તા આવતાં તેણે તેના પર ફટકે લગા. તે પણ પિતાને અમલ નિષ્કટક ન ચલાવી શકે. મૌર્ય શહેનશાહત અસ્ત થતાંની સાથે દક્ષિણમાં મહાન આંધ્રુકુળ તથા પૂર્વ-દક્ષિણ પ્રદેશમાં મહામેઘવાહન ખારવેલનું પ્રભાવશાળી ચેદિકુળ જેરમાં આવ્યું. આ ચેદિકુળ ઉત્તરમાં જમાવેલ બ્રાહ્મણધર્મ પર પ્રત્યાઘાત કરનાર નીવડ્યું. આમ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મો કાલિંગમાં હતા, જેમાં જૈનધર્મ એ રાજધર્મ હતો. હ્યુએન્સગ જેણે ઈ. સ. ૬૨૯ થી ૬૪૫ માં કલિંગની મુલાકાત લીધી હતી તે ચીની મુસાફર ત્યાંની જેનેની મોટી સંખ્યાનો પુરા આપે છે અને તેને જૈનેના મહાન મથક તરીકે રજૂ કરે છે તે જણાવે છે કે ત્યાં “ઘણું પ્રકારના અનેક નાસ્તિક હતા, જેમાં નિચે તે મોટી સંખ્યામાં હતા.” - માતૃભૂમિ મગધમાંથી દક્ષિણપૂર્વ તરફ કલિંગસુધી થયેલી જૈનધર્મની આ સ્પષ્ટ પ્રગતિ છે. ઓરિસાના સમ્રાટ ખારવેલ અને તેની સમ્રાજ્ઞીના ખંડગિરિ પરના બે શિલાલેખ જેની આ પ્રગતિનો ખ્યાલ આપે છે અને તે ઐતિહાસિક સત્ય આપણું સન્મુખ મૂકે છે. ઈ. સ. પૂર્વે બીજા સેકાના મધ્યમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૮૩ થી ૧૫ર તે હિંદના પૂર્વ કાંઠા પર રાજ્ય કરતો હતો. ઉદયગિરિ અને ખેડગિરિની બીજી ગુફાઓ તેમજ ત્યાંના જીર્ણશીર્ણ મંદિરે પણ આની સાક્ષી પૂરે છે. આ બન્ને ટેકરીઓ ભુવનેશ્વરની ઉત્તર પશ્ચિમે પાંચ માઈલ દૂર છે અને એ બન્ને તે ફાટથી જુદી પડે છે જે ફાટ ભુવનેશ્વરથી ત્યાં પહોંચવાના રસ્તાની હારમાં ચાલી જાય છે. આ ઉપરાંત તે ટેકરીઓ પર રહેતી અનેક જાતે, જે હલકી જ્ઞાતિઓમાં આજે ઉતરતું સ્થાન ભેગવે છે તેમનાં નામે જૈનોના પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથ અંગ અને ઉપાંગમાં મળે છે, જ્યાં તેમની ભાષા મ્યુચ્છ ગણાવી છે.પ ખારવેલ શિલાલેખ પહેલે અને સૌથી મોટો છે, જે જૈન પદ્ધતિ અનુસાર મંગલથી શરૂ થાય છે. છેલ્લા તીર્થકર મહાવીરના નિર્વાણ પછી એ વષ એરિયામાં જૈન ધર્મ દાખલ થશે અને તે પછી તે રાજધર્મ બળે તે આ સાધન સાબીત કરે છે. સ્વર્ગપુરી પર બીજો લેખ સાબીત કરે છે કે ખારવેલની પટરાણીએ કાલગના શ્રમણ માટે એક મંદિર અને ગુફા બંધાવી હતી. 1. Mazumdar, Hindu History, p. 636 (2nd ed.). 2. C.H., i, pp. 518, 534. 3, Bea, Si Yu Ki, if, p. 208. 4. J.B.O.R.S, xiii., p. 244. 5. They have been identified with Suari of Pliny and Sabarai of Ptolemy. For the reference of the Jaina literature see Weber, I.A., xix., pp. 65, 69; XX., pp. 25, 368, 374. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy