Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ચારિત્ર્યને જે વધુ ખિલવે તેને વિશિષ્ટ આર્ય કહ્યો છે. સંસ્કૃત નાટકોમાં સીતાજી શ્રી રામચંદ્રને આર્ય પુત્ર કહે છે !”
૫. ગોપાલ સ્વામી : “સાધ્વીને આ કહી છે તે ગુણ ઉપરથી જ ને?” આર્ય જાતિ ભલે ગણતી હેય પણ એ નામ ખરેખર તો ગુણ-સૂચક જ છે. અને એ રીતે ભારતને ઇતિહાસ ગુણ-નિર્ભર છે.”
શ્રી પુંજાભાઈ આર્ય-અનાર્ય વચ્ચેના સંઘર્ષો થયાં તે ભૂમિ માટે હતાં અને અંતે તેને યોગ્ય ન ગણવામાં આવ્યા.”
૫. ગોપાલ સ્વામી : શ્રી મણિલાલ નભુભાઈના સિદ્ધાંતસારમાં મેં એવાં યજ્ઞોનાં નામો વાંચ્યા છે તેમાં તત્ત્વ અને વિધા જ મુખ્ય છે; તે અવભનાથ ભગવાનના પુત્રોએ વ્યાં છે. પણ પછી ચંદ્રપ્રભુ તીર્થ કરના જમાનામાં મેં અશ્વમેધ, ગોમેધ અને નરમેધ અંગે વાંચ્યું. તેથી મને લાગે છે કે તેની અસર બ્રાહ્મણે ચીન તિબેટ તરફ ગયા તેની થઈ લાગે છે.”
આ અંગે ચર્ચા ચાલતાં નક્કી થયું કે આપણા ઇતિહાસની દૃષ્ટિ ગુણગ્રાહી છે. તેથી અગાઉ શું હતું તેના કરતાં આજે શું છે તેને વિચાર કરવો જોઈએ. પછી મૂર્તિપૂજાની ચર્ચા ચાલી.
પૂ. ગોપાલ સ્વામી : “ધર્માનંદ કોસાંબીએ લખ્યું છે પાશુપત ધર્મના આચાર્ય થયા પછી આ જાતનું લિંગ શંકરનું થયું.”
પૂ. નેમિમુનિ : “મોહન––ડેરોમાં એવા અવશેષો નથી મળતા જેથી મૂર્તિ-પૂજાનું પ્રચલન જણાઈ આવે"
આ અંગે ચર્ચા થતાં નક્કી થયું કે અજમેર-મેરવાડા પ્રાંતમાં ભગવાન મહાવીર પછીની ચેર્યાસીમા વર્ષની મૂર્તિને આકાર જૈનેને મળે છે. એટલે સંભવ છે કે બૌદ્ધ સ્તૂપોમાંથી જે એ એ સંસ્કાર લીધા છે. તેમાંથી વૈદકોએ અને પાછા વૈદિકોમાંથી જેને લીધે હેય તે બનવા જોગ છે. આજે મૂર્તિપૂજાન જે સ્થિતિ છે તેમાં ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com