Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૭૦
નવાં શહેરે વધુને વધુ ઊભા થવા લાગ્યાં. ક્રાંસમાં પેરિસ પણ વધતું જતું હતું. વેપાર-રોજગાર માટે શહેર કેંદ્રરૂપે બનતાં ગયાં. એકતરફ સર્ફ આસામીઓ લડેથી કંટાળ્યા હતા; બીજી તરફ લો વેપારીઓના દેવાદાર બનતા જતા હતા. લડે અને ધનવાન વર્ગ વચ્ચે હરિફાઈ અને અંતે લડાઈઓ પણ થઈ તેમાં ધનવાને જીત્યા અને ફયુડલ વ્યવસ્થાને ધીમે ધીમે અંત આવી ગયે.
તેની અગાઉ યુરોપની પ્રજા એક યા બીજી રીતે ધાર્મિક ભાવનાથી સંકળાયેલી હતી. પણ નગરો ઊભા થતાં અને ફયુલ પ્રથાને અંત આવતાં ધાર્મિક ભાવના વિખેરાઈ ચાલી. તેમાં એક તે કારણ એ હતું કે પિપ ફયુડલ વ્યવસ્થાને માન્યતા આપતો હતો અને તેને ઈશ્વરને પ્રતિનિધિ માની લેકે એ વ્યવસ્થાને માનતા; પણ જ્યારે તેને અંત આવ્યો ત્યારે લોકોની ધાર્મિક શ્રદ્ધા ખળભળી ઊઠી. એટલું જ નહીં ઘણા વિચારકે એમ પણ માનતા થયા કે પિપ સ્વાર્થ અને સત્તા માટે જ યુડલ વ્યવસ્થાને માન્ય કરે છે.
એક બીજી વાત પણ બની. પિપે એવી કલ્પના વહેતી કરી કે ઈશું પછી એક હજારમે વર્ષે દુનિયાનો નાશ થશે. તે વખતે યુરોપમાં ભયંકર હાડમારી, દુઃખ અને જુલ્મનું રાજ્ય ચાલતું હતું એટલે ઘણું લોકો તેને ખરૂં માની બેઠા હતા અને દુનિયાને અંત આવે તે પહેલાં પવિત્ર-ભૂમિ પેલેસ્ટાઈનમાં હાજર રહેવા ઘણુ લકે બધું વેચી કરીને ત્યાં જવા નીકળ્યા. જેરૂસલેમ જનારા આ લેકીને તુર્ક લકે એ ખૂબ સતાવ્યા અને હેરાન કર્યા તેથી તેઓ દુઃખી થઈ અને શરમના માર્યા પાછા ફર્યા.
તેમનાં ઉપરનાં વીતકોની વાત મેર ફેલાવવામાં આવી. સાધુ પીટરે, હાથમાં દંડ ધારણ કરી, ઠેર-ઠેર ફરી પવિત્ર જેરૂસલેમને મુસલમાનોના પંજામાંથી છોડાવવા પિકાર કર્યો. પિપની સત્તા કંઈક ડગમગતી હતી. તેણે આ તકનો લાભ લઈ, લોકોની ધાર્મિક લડાયક
ભાવનાનું નેતૃત્વ કરવાનો સંકલ્પ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com