Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૨
ધર્મગ્રંથોમાં ભૂગોળનું વર્ણન એ સચેટ રદિયે છે. આ અંગે જૈન તત્વાર્થ સૂત્રમાં જણાવ્યું છે કે –
नित्या शुभ तर लेश्या परिणाम देहवेदना विक्रियाः
અને
स्थित प्रभाव सुख द्युति लेश्या विशुद्धिन्दियावधि विषयतोऽधिका :
–એટલે કે સ્થાનના કારણે નારકી છને નિત્ય અશુભતર લેસ્યા. અશુભતર ભાવ, અશુભતર શારીરિક દુઃખવાળું શરીર હેય છે. પણ દેવાને સ્થાન અને સ્થિતિ પ્રમાણે પ્રભાવ, સુખ, કાંતિ, શ્યા, વિશુદ્ધિ અને ઈદ્રિના વિષયોનું જ્ઞાન ઉત્તરોત્તર સારું હોય છે. આ છે ત્યાંની ભૌગોલિક સ્થિતિને સાર.
માનવજીવન અને ભૂગોળ
હવે માનવજીવન ઉપર ભૂગોળની શી અસર થાય છે તે જોઈએ. માણસ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન ઘડી શકતા નથી પણ તેના ઉપર તેના નિવાસસ્થાનની મોટી અસર થાય છે. ટુંડ્ર પ્રદેશમાં રહેતા માણસ ખેડ કરી શકતો નથી; સુંદર ઘર બાંધી શકતો નથી; કળા વિકસાવી શકતા નથી, શિક્ષણ મેળવી શકતા નથી કારણકે ત્યાં મોટા ભાગે બરફ છવાયેલું રહે છે. ત્યારે મોસમી પવનના સપાટ પ્રદેશમાં રહેનાર એ બધી વાત કરી શકે છે. તે ખેતી કરે છે; ઉદ્યોગ કરે છે, શિક્ષણ મેળવે છે, કળા સાધે છે અને સંસ્કૃતિનું સર્જન કરે છે. ભૂગોળના ત
ભૌગોલિક પરિસ્થિતિમાં નીચેના તને સમાવેશ થાય છે – (૧) જતીનનો પ્રકાર, (૨) આબોહવા, (૩) સ્થાન, (૪) વનસ્પતિ અને (૫) પ્રાણીઓ. આમાં જમીન અને આબોહવા મુખ્ય ભાગ ભજવે છે. ભૂગોળશાસ્ત્રીઓએ પૃથ્વીને બે ગોળામાં વહેંચી છે.
એકમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે ત્યારે બીજામાં એશિયા, યુરોપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com