Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૮
(૨) બેશક: વધારે વરસાદવાળા પ્રદેશમાં ભાત થાય છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં (પંજાબ-ખંડવા) ઘઉં થાય છે. ગરમ ભેજવાળી હવામાં કંદ અને કેળાં વધારે પાકે છે. ભૂમધ્ય સાગર જેવી આબોહવા હોઈ ત્યાં ફળો વધારે પાકે છે. ગરમ પ્રદેશ કે રણના પ્રદેશમાં ખજુરી વધારે થાય, ખેતી ન થવાથી ઘાસચારાના કારણે પશુ-પાલન થાય. ટુંડ્રા પ્રદેશમાં બહુ જ ઠંડી પડે, તેથી ત્યાંના લોકો બરફમાં થીલી કે નીચેના પ્રવાહમાં વહેતી માછલી કે પશુઓના શિકાર કરી ખેરાક મેળવે. આમ આબેહવા પ્રમાણે ખેરાકોને નિયમ બને છે.
() વસ્ત્રો : ધ્રુવ કે ટુંડાના પ્રદેશમાં લોકોને ચામડાના વસ્ત્રો પહેરવાં પડે. ત્યારે હિંદ અને બ્રહ્મદેશમાં લેકને સુતરાઉ તથા રેશમી કપડાં પહેરવાં પડે અને ઈંગ્લાંડયુરોપ વગેરેમાં ગરમ ઉનના કપડાં પહેરવાં પડે. વિષુવવૃત્ત ઉપર ગરમી વધારે પડતી હેવાથી કેવળ તન ઢાંકવા માટે જ લે કો કપડું પહેરે છે.
* (૪) ઘરઃ આબેહવાની અસર ઘરની બાંધણ ઉપર થાય છે. કફાતા લોકો અને એકિમે લોકો ઇલુ નામના બરફના ઘરમાં રહે છે. ઉનાળામાં તેઓ ચામડાંના તંબુઓમાં રહે છે. કિર્ગીઝ લોકોનું જીવન હેતું નથી તેઓ તંબુઓ લઈને ફરતા હોય છે. બહુ ગરમી પડે છે ત્યાં ઘરની ભીંતે ચડી અને ઉંચી રાખવામાં આવે છે.
ધંધોઃ ધંધા ઉપર પણ આબોહવાની ખૂબ જ અસર હોય છે. વિષુવવૃત્તનાં સ્વાભાવિક રીતે લોકો શિકાર કરે છે. તેમને શિકાર કે માછલાં ઉપર જીવવું પડે છે એસ્કિમે લોકો પણ એજ રીતે શિકાર અને માછલાં ઉપર આવે છે. તેમને ધંધે એજ બને છે. રણમાં વરસાદના અભાવે ખેતી થતી નથી તેથી ત્યાં વણાટકાર્ય અને ચર્મકાર્ય ચાલે છે.
ઓછા વરસાદવાળા પ્રદેશમાં ઘાસની શોધમાં ફરીને પશુપાલન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com