Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૬
ભલે લોકશાહી પદ્ધતિએ ચૂંટણીઓ થઈ છે તે છતાં લોકમત કેળવાય નથી અને ૮૦ ટકાથી વધારે લોકોને એ ખ્યાલ જ નથી કે તેમને શું કરવાનું છે? તેમણે કોંગ્રેસને શુદ્ધ અને પૂરક બળ બનાવી દુનિયાભરના રાજકારણને પવિત્ર કરવાનું છે તેમ થાય તો મહત્ત્વનું કાર્ય થયું ગણાશે.
શ્રી દેવજીભાઈ : “શ્રી માટલિયાએ સવારે સામ્યવાદી સરમુખત્યારશાહી, લોકશાહીના આભાસવાળી અને ભારતીય લેકશાહી ઉપર વિસ્તૃત પ્રકાશ નાખ્યો છે. ભારતની આ દશા થવાનું કારણ પાયાની ખામી છે. પરદેશમાં ભય અને દંડથી પ્રજાને અંકુશમાં
ખવાની વાત અગાઉથી હતી. આપણે ત્યાં અગાઉથી રાજનીતિ ઉપર નીતિમય અંકુશ રહેવું જોઈએએવું ઘડતર થયું છે.
આજે કેવળ એટલું જ નહીં એના કરતાં કંઈક વિશેષ કરવાની જરૂર છે; કારણ કે દેશ અને દુનિયાનાં રાજ્યોએ રાજકારણ અર્થકારણ અને સમાજકારણ એમ બધાં અંગેનો જે ભીડે લીધે છે તે જોતાં માત્ર ડાં નૈતિક પરિબળોથી કામ નહીં ચાલે. તે માટે પ્રજાનું સંખ્યાબળ અને તે પણ ઘડતર પામેલું કામ લાગશે. આજે ગંદી મુત્સદ્દીગીરી ચાલે છે અને રાજકારણ કાવાદાવા વિના ચાલી શકે એ ગાંધીજીએ આચરેલી અને અચરાવેલી વાત વિસરાતી જાય છે. આ દિશામાં વ્યવસ્થિત કાર્ય કરવાની જરૂર છે. પિતાની જવાબદારી સમજી નિયમે જવાબદારી પૂર્વક પળાય તે જ સાચું રાજ્યતંત્ર છે. આપણે
ત્યાં પરદેશી લોકશાહીના આભાસવાળી પદ્ધતિ નહીં ચાલે. કેટલાક તેને માને છે. પણ તે થોડાકને એશોઆરામ આપે છે, બાકી પછાતવર્ગ, સ્ત્રીવર્ગ કે ગામડાંને વર્ગ એ તરફ પૂરતું ધ્યાન આપતું નથી. એટલે તે જરૂરી નથી. સરમુખત્યારશાહી, સામ્યવાદી હોય કે લશ્કરી હોય તેમાં પ્રજાની સ્વતંત્રતા રહેતી નથી. તેથી આપણે દેશની લોકશાહી તરફ જગત મીટ માંડે, તે સ્વાભાવિક છે. પણ હજુ તેને ઘડાવાની જરૂર છે. જેમ ભદ્રલેકશાહીમાં લે કો લેટ ખરીદતા; તેમ અહીં પણ એવું
જોવામાં આવે છે. તે કોને પિતાના અધિકારનો સ્વતંત્ર અને ખરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com